મૃત્યુ બાદ વૈશાલી ઠક્કરની પૂરી થઈ છેલ્લી ઈચ્છા, દાન કરવામાં આવ્યું અભિનેત્રીના આ ખાસ અંગનું

  • ટીવી જગતની લોકપ્રિય સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' દ્વારા પ્રખ્યાત થયેલી અભિનેત્રી વૈશાલી ઠક્કરે 16 ઓક્ટોબરે આત્મહત્યા કરી લીધી હતી. તે લગભગ એક વર્ષથી મધ્યપ્રદેશના ઈન્દોરમાં તેના ઘરે હતી. આ દરમિયાન તેણે પંખાથી લટકીને પોતાનો જીવ આપી દીધો હતો. તમને જણાવી દઈએ કે અભિનેત્રીના મૃત્યુથી તેના પરિવારની સાથે-સાથે ચાહકોને પણ આઘાત લાગ્યો છે.
  • રિપોર્ટ અનુસાર એક્ટ્રેસે તેના એક્સ બોયફ્રેન્ડથી નારાજ થઈને આત્મહત્યા કરી લીધી. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે વૈશાલી ઠક્કરના મૃત્યુ બાદ તે તેની આંખોનું દાન કરવા માંગતી હતી. આવી સ્થિતિમાં તેમના પરિવારે તેમની અંતિમ ઈચ્છા પણ પૂરી કરી. રિપોર્ટ અનુસાર અભિનેત્રીના પરિવારે અંતિમ સંસ્કાર પહેલા જ તેની આંખો દાન કરી દીધી છે.
  • અભિનેત્રીના ભાઈએ વ્યક્ત કરી હતી તેની અંતિમ ઈચ્છા
  • મીડિયા રિપોર્ટ્સ અનુસાર વૈશાલી ઠક્કરના ભાઈ નીરજ ઠક્કરે જણાવ્યું કે અભિનેત્રીને તેની આંખો ખૂબ જ પસંદ હતી તેથી તે મૃત્યુ પછી તેની આંખો દાન કરવા માંગતી હતી.
  • નીરજ ઠક્કરે કહ્યું “વૈશાલી તેની આંખોને ખૂબ પ્રેમ કરતી હતી અને તે ઘણીવાર તેના મૃત્યુ પછી તેની આંખો દાન કરવાની વાત કરતી હતી. તેણે તેની માતાને પણ આ અંગે વાત કરી હતી. રવિવારે (16 ઓક્ટોબર) તેમના અંતિમ સંસ્કાર પહેલા પરિવારે જિલ્લા આરોગ્ય અધિકારીઓની સામે તેમની આંખોનું દાન કર્યું હતું જેથી કરીને આ સુંદર આંખો દ્વારા કોઈ અન્ય વ્યક્તિ આ દુનિયા જોઈ શકે.
  • અભિનેત્રીના રૂમમાંથી મળી હતી સુસાઈડ નોટ
  • નોંધનીય છે કે વૈશાલી ઠક્કરે મૃત્યુ પહેલા એક સુસાઈડ નોટ પણ લખી હતી જેમાં તેણે તેના પૂર્વ બોયફ્રેન્ડ અને તેની પત્ની દિશા નવલાની પર લાંબા સમયથી હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. વૈશાલીએ પોતાની સુસાઈડ નોટમાં જે વ્યક્તિનું નામ આપ્યું છે તે રાહુલ નવલાણી છે. રિપોર્ટ અનુસાર રાહુલ અને વૈશાલી ઠક્કર લાંબા સમય સુઘી એકબીજાને ડેટ કરી હતી પણ પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું. આ પછી રાહુલે એક્ટ્રેસને હેરાન કરવાનું શરૂ કર્યું.
  • વૈશાલીના લગ્ન થવાના હતા
  • તમને જણાવી દઈએ કે વૈશાલી કેલિફોર્નિયા સ્થિત મિષ્ટેશ ગોટ સાથે લગ્ન કરવા જઈ રહી હતી અને તે તેના લગ્નની ખરીદી માટે મુંબઈ પણ જવાની હતી પરંતુ તે રાહુલથી ખૂબ નારાજ થઈ ગઈ હતી તેથી તેણે આત્મહત્યા કરી લીધી હતી. અભિનેત્રીના ભાઈએ કહ્યું હતું કે "તે તેને વારંવાર ધમકીઓ આપતો હતો કે હું તારું ઘર નહીં વસાવા દઉં. હું તને લગ્ન કરવા નહિ દઉં. ડાયરીમાં વૈશાલીએ સંબંધ વિશે બધું લખ્યું હતું. જેની સાથે સગાઈ કરી હતી તે છોકરાને રાહુલ મેસેજ કરતો હતો અને વૈશાલીને ધમકી આપતો હતો. જણાવી દઈએ કે રાહુલની ધરપકડ કરવામાં આવી છે.

Post a Comment

0 Comments