- શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે એક બસ ઊંડી ખીણમાં પડતાં સાત ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ના જવાનોના મોત થયા હતા અને અન્ય 30 ઘાયલ થયા હતા. ઘાયલ જવાનોને એરલિફ્ટ કરીને શ્રીનગરની આર્મી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. ITBPના જવાનો અમરનાથ યાત્રાની ડ્યુટી પૂરી કરીને પરત ફરી રહ્યા હતા. બ્રેક ફેલ થવાને કારણે બસ અકસ્માતનો ભોગ બની હતી અને રોડ પરથી લપસીને નદીના કિનારે પડી હતી. એક અધિકારીએ આ જાણકારી આપી.
- ITBP કમાન્ડોને ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા જેથી રાહત અને બચાવ કામગીરી ઝડપી કરી શકાય. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે 37 ITBP જવાનો અને જમ્મુ-કાશ્મીર પોલીસના બે જવાનોને લઈને જતી બસ ચંદનવાડી અને પહેલગામ વચ્ચે ઊંડી ખીણમાં પડી ગઈ હતી. ITBPના 7 જવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે અન્ય 30 જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં અન્ય જવાનોને પણ ઈજાઓ પહોંચી હતી. બસ ચંદનવાડીથી પહેલગામ પોલીસ કંટ્રોલ રૂમ તરફ આવી રહી હતી.
#WATCH Bus carrying 37 ITBP personnel and two J&K Police personnel falls into riverbed in Pahalgam after its brakes reportedly failed, casualties feared#JammuAndKashmir pic.twitter.com/r66lQztfKu
— ANI (@ANI) August 16, 2022
- અકસ્માતનું વાસ્તવિક સ્થળ ફ્રિસલાન હોવાનું કહેવાય છે જે પહેલગામથી લગભગ 16 કિમી દૂર છે. સૈનિકોને લઈ જઈ રહેલી બસ રસ્તા પરથી લપસીને લગભગ 500 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. ITBP ના PROએ સમાચાર એજન્સી ANIને જણાવ્યું કે અમારા 7 જવાનોએ જીવ ગુમાવ્યો છે 30 ઘાયલ થયા છે. અમે ઘાયલોને તમામ શક્ય સારવાર આપીશું. ITBP હેડક્વાર્ટર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ મદદ કરવામાં આવશે.
- ગૃહમંત્રી શાહ અને લેફ્ટનન્ટ ગવર્નર સિંહાએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેણે લખ્યું 'J&Kના પહલગામમાં ITBP અને પોલીસ કર્મચારીઓને લઈ જતી બસના અકસ્માત વિશે જાણીને દુઃખ થયું. મારી પ્રાર્થના અને સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તે જલ્દી સ્વસ્થ થઈ જાય આ ભગવાનને મારી પ્રાર્થના છે.
- જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું "ચંદનવાડી પાસે બસ દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છું જેમાં અમે અમારા બહાદુર ITBP જવાનોને ગુમાવ્યા છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. હું ઘાયલોના ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરું છું. ઘાયલ જવાનોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે.
0 Comments