શેર માર્કેટ કિંગ રાકેશ ઝુનઝુનવાલાનું નિધન, 62 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

  • રાકેશ ઝુનઝુનવાલાઃ પ્રખ્યાત સ્ટોક બ્રોકર રાકેશ ઝુનઝુનવાલાનું નિધન થયું છે. તેને મૃત હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેને 2-3 અઠવાડિયા પહેલા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. થોડા દિવસો પહેલા જ ઝુનઝુનવાલાએ અકાસા એરલાઈન્સ શરૂ કરી હતી.
  • શેરબજારના મોટા બુલ રાકેશ ઝુનઝુનવાલાનું 62 વર્ષની વયે નિધન થયું છે. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમને 2-3 અઠવાડિયા પહેલા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. બ્રીચ કેન્ડી હોસ્પિટલ દ્વારા પીઢ ઉદ્યોગપતિ ઝુનઝુનવાલાના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. આજે સવારે 6.45 કલાકે તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
  • રાકેશ ઝુનઝુનવાલાને ભારતના વોરેન બફેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. શેરબજારમાંથી કમાણી કર્યા બાદ બિગ બુલે એરલાઇન સેક્ટરમાં પણ પ્રવેશ કર્યો હતો. તેણે નવી એરલાઇન કંપની અકાસા એરમાં મોટું રોકાણ કર્યું હતું અને 7 ઓગસ્ટથી કંપનીએ કામગીરી શરૂ કરી છે. શેરબજારમાં રોકાણ કરનાર ઝુનઝુનવાલાની પાસે આજે હજારો કરોડની સંપત્તિ છે. મજાની વાત એ છે કે આટલી સંપત્તિ ધરાવતી વ્યક્તિની યાત્રા માત્ર 5 હજાર રૂપિયાથી શરૂ થઈ હતી.
  • અકાસા એરે શરૂ કર્યું ઓપરેશન
  • અકાસાની પ્રથમ કોમર્શિયલ ફ્લાઈટ મુંબઈથી અમદાવાદ માટે ઉડાન ભરી હતી. ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અકાસા એરની પ્રથમ ફ્લાઇટના ઉદ્ઘાટન સમારોહમાં જોવા મળ્યા હતા. તેમણે અકાસાની પ્રથમ કોમર્શિયલ ફ્લાઈટને ફ્લેગ ઓફ કરી હતી. તેમની સાથે કેન્દ્રીય રાજ્ય મંત્રી વીકે સિંહ પણ હાજર હતા. Akasa Airએ 13મી ઓગસ્ટથી ઘણા વધુ રૂટ પર તેની સેવા શરૂ કરી છે.
  • ઝુનવાલા અને તેમની પત્નીની ભાગીદારી 45.97 ટકા છે
  • રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્ની રેખા પાસે અકાસા એર શેરમાં સૌથી મોટો હિસ્સો છે. આ એરલાઇન કંપનીમાં કુલ હિસ્સો 45.97 ટકા છે. આ સિવાય વિનય દુબે, સંજય દુબે, નીરજ દુબે, માધવ ભાટકુલી, PAR કેપિટલ વેન્ચર્સ, કાર્તિક વર્મા પણ Akasa Airના પ્રમોટર છે. રાકેશ ઝુનઝુનવાલા પછી આમાં વિનય દુબેની ભાગીદારી 16.13 ટકા છે. અકાસા એરએ 13મી ઓગસ્ટથી તેની બેંગ્લોર-કોચી સેવા શરૂ કરી છે. તે જ સમયે તે 19 ઓગસ્ટથી બેંગ્લોર-મુંબઈ અને 15 સપ્ટેમ્બરથી ચેન્નાઈ-મુંબઈ માટે તેની સેવા શરૂ કરશે.
  • હવે ઝુનઝુનવાલાની નેટવર્થ કેટલી છે?
  • ભારતના વોરન બફેટ તરીકે ઓળખાતા રાકેશ ઝુનઝુનવાલાની આવકનો મુખ્ય સ્ત્રોત શેરબજાર છે. ઝુનઝુનવાલાની આ સક્સેસ સ્ટોરી માત્ર પાંચ હજાર રૂપિયાથી શરૂ થઈ હતી. આજે તેમની કુલ સંપત્તિ 40 હજાર કરોડની આસપાસ છે. આ સફળતાને કારણે ઝુનઝુનવાલાને ભારતીય શેરબજારનો બિગ બુલ અને ભારતના વોરેન બફેટ કહેવામાં આવે છે. જ્યારે સામાન્ય રોકાણકારો શેરબજારમાં નાણાં ગુમાવી રહ્યા હોય ત્યારે પણ ઝુનઝુનવાલા કમાણી કરે છે.

Post a Comment

0 Comments