- પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાંથી દવા માટે એક રૂપિયો લેનાર પદ્મશ્રી એવોર્ડ વિજેતા ડૉ. સુશોવન બેનર્જી હવે નથી રહ્યા. કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં મંગળવારે તેમનું અવસાન થયું, તેઓ 83 વર્ષના હતા. ગરીબોના મસીહા તરીકે ઓળખાતા તબીબના મૃત્યુના સમાચાર સાંભળતા જ સમગ્ર જિલ્લામાં શોકનો માહોલ છવાયો હતો.
- ઉદ્દેશ્ય માત્ર ગરીબોની સેવા કરવાનો હતો.
- કોરોનાના સમયમાં પણ તેઓ ગરીબ અને લાચાર લોકોની સેવા કરતા રહ્યા. તેઓ ક્યારેય થાકતા નહી. ક્યારેય હારતા નહીં પણ આજે તે પ્રભુની સામે હારીને સૂઈ ગયા.
- ડૉ. સુશોવન બેનર્જીનો જન્મ 30 સપ્ટેમ્બર 1939ના રોજ થયો હતો. પોતે ડૉક્ટર બન્યા પછી તેઓ 57 વર્ષ સુધી બોલપુરના હરગૌરીતલામાં માત્ર એક રૂપિયામાં દર્દીઓની સારવાર કરતાં હતા. તે દરરોજ સરેરાશ 150 દર્દીઓને જોતા હતા. તે ફીના નામે માત્ર એક રૂપિયો લેતા હતા, તે ન હોય તો પણ તે દર્દીને મફતમાં તપાસ અને તેની સારવાર કરતાં હતા.
Dr. Sushovan Bandyopadhyay epitomised the best of human spirit. He will be remembered as a kind and large hearted person who cured many people. I recall my interaction with him at the Padma Awards ceremony. Pained by his demise. Condolences to his family and admirers. Om Shanti. pic.twitter.com/Ms73RrYdfa
— Narendra Modi (@narendramodi) July 26, 2022
- 2020માં મળ્યો હતો પદ્મશ્રી
- તેમની અવિરત સેવાને ધ્યાનમાં રાખીને, સરકારે તેમને 2020 માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા. તેણે ક્યારેય જોયું નથી કે તે કેટલો સમય છે અને કેટલા વાગી રહ્યા છે. કોરાના સમય હોય કે સામાન્ય સમયગાળો, હંમેશા લોકોની સેવા કરવાનું ચાલુ રાખી હતી.
Sad to know of the demise of benevolent doctor Sushovan Bandyopadhyay. The famed one-rupee-doctor of Birbhum was known for his public-spirited philanthropy, and I express my sincerest condolences.
— Mamata Banerjee (@MamataOfficial) July 26, 2022
- સુશોવન બેનર્જી કિડનીની સમસ્યાથી પીડિત હતા
- સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, પદ્મશ્રી પુરસ્કાર વિજેતા સુશોવન બેનર્જી છેલ્લા કેટલાક મહિનાઓથી કિડનીની સમસ્યાથી પીડિત હતા. થોડા દિવસો પહેલા તેને કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં મંગળવારે સવારે સાડા અગિયાર વાગ્યે તેમનું મૃત્યુ થયું હતું. તેઓ 83 વર્ષના હતા. સુશોવન બેનર્જીના નજીકના સૂત્રના જણાવ્યા અનુસાર, તેમને મંગળવારે બપોરે બોલપુર લાવવામાં આવશે.
0 Comments