અબજોનું સામ્રાજ્ય છોડીને ચાલ્યા ગયા લતા, આટલી સંપત્તિના હતા માલિક, જાણો કોણ બનશે વારસ

  • રવિવારની સવાર દેશ અને દુનિયા માટે ખૂબ જ ખરાબ અને દુઃખદ સમાચાર લઈને આવી. સંગીતની રાણી લતા મંગેશકરજીએ રવિવારે સવારે અંતિમ શ્વાસ લીધા. આજે સવારે 8.12 કલાકે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું. લતાજીનું મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું હતું.
  • લતાજીએ દેશ અને દુનિયામાં પોતાનું નામ રોશન કર્યું હતું. 36 ભાષાઓમાં ગીતો ગાનારા લતાજીએ પોતાના અવાજમાં 30 હજારથી વધુ ગીતો રેકોર્ડ કર્યા હતા. તેમને ભારતના સર્વોચ્ચ સન્માન 'ભારત રત્ન' અને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માન સહિત ડઝનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રસિદ્ધિની સાથે લતાજીએ અપાર સંપત્તિ પણ કમાઈ હતી. ચાલો તમને લતાજીની નેટવર્થ વિશે જણાવીએ.
  • 25 રૂપિયા પહેલી કમાણી હતી...
  • તમને જણાવી દઈએ કે લતાજીની પહેલી કમાણી માત્ર 25 રૂપિયા હતી જોકે તેમણે પોતાના સખત સંઘર્ષના કારણે હિન્દી સિનેમામાં એક ખાસ સ્થાન હાંસલ કર્યું હતું.
  • ત્યારબાદ 368 કરોડની સંપત્તિના માલિક બન્યા…
  • મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લતાજી કરોડોની નહીં પણ અબજો રૂપિયાની સંપત્તિના માલિક છે. લતા દીદીની કુલ સંપત્તિ લગભગ 50 મિલિયન યુએસડી હોવાનું કહેવાય છે, જે ભારતીય ચલણમાં 368 કરોડ રૂપિયા છે. લતાજીએ આ પ્રોપર્ટી તેમના ગીતો, તેમની રોયલ્ટી અને રોકાણથી બનાવી છે.
  • લતાજીનું ઘર દક્ષિણ મુંબઈમાં પેડર રોડ પર આવેલું છે. તેમના ઘરનું નામ 'પ્રભુકુંજ ભવન' છે. લતાજી અહીં રહેતા હતા જોકે હવે તેમણે આ ઘર કાયમ માટે છોડી દીધું છે. લતાજીના આ ઘરની કિંમત કરોડોમાં છે.


  • લતા 'દીદી'નું કાર કલેક્શન...
  • ચાલો લતા 'દીદી'ના કાર કલેક્શન પર પણ એક નજર કરીએ. લતાજી શેવરોલે, બ્યુઇક અને ક્રાઇસ્લર કારના માલિક હતા. સાથે જ તેની પાસે મર્સિડીઝ પણ છે. તમને જણાવી દઈએ કે લતાજીના કાર કલેક્શનમાં સામેલ મર્સિડીઝ કાર તેમને ફિલ્મ નિર્માતા યશ ચોપરાએ ફિલ્મ 'વીર ઝારા'ના ગીતના રિલીઝ પછી ભેટમાં આપી હતી.

  • તમને જણાવી દઈએ કે લતાજીનું નામ પહેલા હેમા હતું પરંતુ જ્યારે તેઓ પાંચ વર્ષના થયા ત્યારે તેમનું નામ લતા રાખવામાં આવ્યું. લતા મંગેશકરે માત્ર પાંચ વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું હતું. તેમને તેમના પિતા દીનાનાથ મંગેશકર પાસેથી સંગીતનો વારસો મળ્યો હતો. લતાજી જ્યારે 13 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. લતાજીએ 13 વર્ષની ઉંમરે સ્ટુડિયોમાં પહેલીવાર ગીત ગાયું હતું.
  • લતાજી પાંચ ભાઈ-બહેનોમાં સૌથી મોટા હતા. લતાજીને પહેલી ઓળખ ફિલ્મ મહેલના ગીત 'આયેગા આને વાલા'થી મળી હતી. આ સાથે જ તેણે કવિ પ્રદીપ લિખિત 'એ મેરે વતન કે લોગોં' ગીત ગાઈને સૌના દિલ જીતી લીધા હતા. દેશના પહેલા પીએમ પંડિત નેહરુએ જ્યારે આ ગીત સાંભળ્યું તો તેમની આંખોમાં આંસુ આવી ગયા.

Post a Comment

0 Comments