34 કરોડ રૂપિયાના આલીશાન ઘરમાં રહે છે વિરાટ અને અનુષ્કા, ખૂબસૂરત એટલું કે મહેલોનો રંગ પડી જાઈ ફીકો!

  • ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા તાજેતરમાં એક પુત્રીના માતા-પિતા બન્યા છે. બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ 11 જાન્યુઆરીએ બેબી એન્જલને જન્મ આપ્યો છે.
  • વિરાટ અને અનુષ્કા શર્મા સૌથી વધુ ચર્ચિત સેલિબ્રિટી કપલ છે. આજે આપણે મુંબઈમાં આવેલા વિરાટ કોહલી અને અનુષ્કાના ઘરની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ, જે જોવામાં ખૂબ જ સુંદર લાગે છે.
  • લગ્ન પહેલા વિરાટ કોહલી દિલ્હીમાં રહેતા હતા, જો કે લગ્ન પછી તે મુંબઈમાં સેટલ થઈ ગયા. બંને મુંબઈમાં ઓંકાર નામના એપાર્ટમેંટમાં રહે છે. આ એપાર્ટમેંટના 35મા માળે વિરાટ અને અનુષ્કાનું ઘર છે. બંને સેલિબ્રિટીઓએ તેને અંદરથી ખૂબ જ સુંદર ડિઝાઈન કરાવી છે.
  • આ ઘર ખૂબ જ સુંદર રીતે શણગારેલું જોવા મળે છે. જણાવી દઈએ કે વિરાટ અને અનુષ્કા 2017 થી આ ઘરમાં છે.
  • વિરાટ અને અનુષ્કાની પાસે આ 4 બીએચકે ફ્લેટ છે. આ ઘરથી સમુદ્ર પણ સરળતાથી જોઈ શકાય છે. ફોટોશૂટ માટે પણ આ એક શ્રેષ્ઠ જગ્યા છે.
  •  34 કરોડ રૂપિયાની કિંમતના આ ભવનનું નિર્માણ 7171 સ્ક્વેર ફૂટમાં કરવામાં આવ્યું છે.
  • વિરાટ અને અનુષ્કાના ઘરમાં ઘણા પાલતુ કૂતરા પણ છે. તમે જોઈ શકો છો કે એક કૂતરો સોફા પર આરામ કરી રહ્યો છે જ્યારે અનુષ્કા બીજા કૂતરાને ચીડવી રહી છે.
  • એક અન્ય તસવીરમાં તમે જોઈ શકો છો કે વિરાટ કોહલી પોતાના કૂતરા સાથે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.
  • વિરુષ્કાના ઘર પર એક નાનો બગીચો પણ બનાવવામાં આવ્યો છે. અનુષ્કા ઘણીવાર અહીં સમય પસાર કરતી જોવા મળે છે.
  • ઘરમાં એક પર્સનલ ટેરેસ પણ છે, જેના પર વિરાટ અને અનુષ્કા ઘણીવાર એકસાથે સમય પસાર કરે છે.
  • સોફા સેટ ઘરની બાલ્કની પાસે આવેલો છે. જ્યાં વિરાટ અને અનુષ્કા ક્વોલિટી ટાઈમ પસાર કરતાં જોવા મળી રહ્યા છે.
  • નોંધપાત્ર વાત એ છે કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ઘણા વર્ષોથી ડેટ કરી રહ્યા છે. ત્યાર પછી બંનેએ ડિસેમ્બર 2017માં લગ્ન કરી લીધા. વિરાટ-અનુષ્કાએ 11 ડિસેમ્બરે ઈટાલીમાં સાત ફેરા લીધા હતા.
  • લગ્ન ખૂબ જ સીક્રેટ હતા, જેમાં માત્ર પરિવાર અને પ્રિયજનો શામેલ હતા. ત્યાર પછી અનુષ્કા અને વિરાટે ગ્રેંડ વેડિંગ રિસેપ્શન આપ્યું. તેમાં રાજકારણ, ક્રિકેટ અને ફિલ્મ જગતના ઘણા મહાનુભાવોએ શામેલ થયા.
  • વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલના દિવસોમાં જ માતા બનેલી અનુષ્કા શર્મા પોતાના કામ પર ધ્યાન ન આપીને તેને પોતાના કામથી દૂર રાખવા ઈચ્છે છે.
  • વિરાટ કોહલીની વાત કરીએ તો વિરાટ કોહલી પોતાની રજા પર ઓસ્ટ્રેલિયાની મુસાફરી પછી ચાર ટેસ્ટ મેચની સીરિઝની પહેલી મેચ રમ્યા પછી ભારત આવ્યા હતા. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની શરૂઆત 5 ફેબ્રુઆરીથી ચેન્નાઈમાં થશે. જ્યાં વિરાટ કોહલી મેદાન પર પરત ફરશે.
  • ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ થોડા દિવસો પહેલા ચાર ટેસ્ટ, પાંચ ટી-20 અને ત્રણ વનડે રમવા માટે ચેન્નઈ પહોંચી હતી, જ્યારે ભારતીય ટીમે પણ ચેન્નઈમાં પડાવ નાખ્યો હતો.
  • ચાર ટેસ્ટ મેચોની સીરિઝ પહેલા બે મેચ ચેન્નઈના ચિદમ્બરમ સ્ટેડિયમ અને બે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમવામાં આવશે. કોરોના મહામારીને કારણે બીસીસીઆઈના આદેશ અનુસાર પહેલી બે ટેસ્ટ મેચ દર્શકો વગર રમવામાં આવશે.

Post a Comment

0 Comments