ખોટી દિશામાં બાથરૂમ હોવાથી થાય છે મોટું નુકસાન, જાણો વાસ્તુ અનુસાર બાથરૂમ કેવું હોવું જોઈએ

  • વાસ્તુશાસ્ત્રમાં ઘરના દરેક ભાગનું મહત્વ છે. ઘરમાં કોઈપણ સ્થાનના વાસ્તુ દોષોની ખરાબ અસર પરિવારના લોકો પર પડે છે. જો ઘર બનાવતી વખતે વાસ્તુનું ધ્યાન રાખવામાં આવે તો ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જાનો સંચાર રહે છે. તેની સાથે પરિવારમાં સુખ-સમૃદ્ધિ રહે છે અને સભ્યોની પ્રગતિ થતી રહે છે.
  • બાથરૂમ રસોડાની નજીક ન હોવું જોઈએ
  • વાસ્તુ અનુસાર કોઈ પણ સંજોગોમાં બાથરૂમ રસોડાની સામે કે બાજુમાં હોવું જોઈએ. તેમજ બાથરૂમમાં ટોયલેટ સીટ પશ્ચિમમાં અથવા ઉત્તર-પશ્ચિમમાં રાખવી હંમેશા સારી રહેશે. બાથરૂમના નળમાંથી ટપકતું પાણી સારું નથી. જેના કારણે આર્થિક નુકશાન થાય છે. તેથી તેને તાત્કાલિક સુધારવી જોઈએ.
  • બાથરૂમ દક્ષિણ-પૂર્વ કે દક્ષિણ-પશ્ચિમ દિશામાં ન હોવું જોઈએ
  • વાસ્તુશાસ્ત્ર અનુસાર બાથરૂમ દક્ષિણ, દક્ષિણ-પૂર્વ અથવા તો દક્ષિણ-પશ્ચિમ દિશામાં ન બનાવવું જોઈએ. તેના વાસ્તુ દોષથી પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. જો આ બાથરૂમ પહેલાથી જ ઘરમાં દક્ષિણ દિશામાં બનેલું છે તો તેની પાસે કોઈ કાળી વસ્તુ રાખો. જેથી તેની નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે.
  • બાથરૂમ દક્ષિણ દિશામાં ન હોવું જોઈએ
  • વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણ દિશા અગ્નિ તત્વ સાથે જોડાયેલી છે તેથી આ દિશામાં બાથટબ કે શાવર ન મૂકવો. ઉપરાંત બાથરૂમની પેઇન્ટિંગ કરતી વખતે હંમેશા હળવા રંગની પસંદગી કરો. સામાન્ય રીતે બાથરૂમમાં બ્રાઉન અને વ્હાઇટ કલરનો ઉપયોગ કરવો સારો માનવામાં આવે છે.
  • બાથરૂમમાં આ રંગના હોવા જોઈએ અરીસા
  • વાસ્તુ અનુસાર બાથરૂમમાં વાદળી રંગનું ટબ અથવા ડોલ રાખવું શુભ ગણાય છે. જેના કારણે ઘરમાં સમૃદ્ધિ આવે છે. બાથરૂમમાં કાળા અને લાલ રંગની ડોલ અથવા ટબનો ઉપયોગ કરવો અશુભ છે. આ સિવાય બાથરૂમમાં અરીસો એવી રીતે લગાવો કે તેમાં ટોયલેટ સીટ ન દેખાય. સાથે જ બાથરૂમની સ્વચ્છતાનું પણ સંપૂર્ણ ધ્યાન રાખો.
  • લાકડાના દરવાજા
  • વાસ્તુ અનુસાર બાથરૂમનો દરવાજો ઉત્તર કે પૂર્વ દિશામાં હોવો જોઈએ. લોખંડના દરવાજાને બદલે લાકડાના દરવાજા લગાવવા શુભ છે. આ સિવાય બાથરૂમના દરવાજા પર દેવી-દેવતાઓની સ્થાપના ન કરવી જોઈએ. બાથરૂમના દરવાજા હંમેશા બંધ રાખવા જોઈએ. ઉપરાંત દરેક બાથરૂમમાં બારી હોવી જોઈએ. બારી પૂર્વ ઉત્તર કે પશ્ચિમ તરફ ખુલવી જોઈએ.

Post a Comment

0 Comments