રાજસ્થાનના વકીલે ઉઠાવ્યો વિકી કૌશલ-કેટરિના કૈફના લગ્ન સામે વાંધો, મામલો પહોંચ્યો કોર્ટમાં

  • આ દિવસોમાં બોલિવૂડમાં કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નના સમાચારો જોરશોરમાં છે. સમાચાર અનુસાર આ કપલ 9 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે. આ કપલના લગ્નની તૈયારીઓ રાજસ્થાનના સવાઈ માધોપુરમાં આવેલી હોટેલ સિક્સ સેન્સ ફોર્ટમાં જોરશોરથી ચાલી રહી છે.
  • બંને કલાકારો તેમના પરિવાર સાથે રાજસ્થાન પહોંચી ગયા છે. તેના રાજસ્થાન પહોંચવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર આવ્યો છે. આ લગ્ન 7 થી 9 ડિસેમ્બર સુધી ચાલશે. જોકે સ્થાનિક વકીલે વિકી અને કેટરીનાના લગ્નને લઈને ફરિયાદ દાખલ કરી છે.
  • એક અગ્રણી સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર આ ફરિયાદ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળમાં દાખલ કરવામાં આવી છે. વાસ્તવમાં આ ફરિયાદ લગ્નના કારણે એક મંદિર જવાનો રસ્તો રોકવાના કારણે કરવામાં આવી છે. આ કેસમાં ફરિયાદીનું કહેવું છે કે પ્રશાસને 6-12 ડિસેમ્બર સુધી ચોથ માતા મંદિરનો રસ્તો સંપૂર્ણપણે બંધ કરી દીધો છે.
  • જેના કારણે ભક્તોને મંદિર જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડશે. સિક્સ સેન્સ ફોર્ટના મેનેજર કેટરીના કૈફ, વિકી કૌશલ અને જિલ્લા કલેક્ટર વિરુદ્ધ એડવોકેટ નેત્રબિંદ સિંહ જાદૌને આ ફરિયાદ કરી છે.
  • સૂત્રોનું માનીએ તો આ લગ્નમાં દિગ્દર્શક કબીર ખાન, નિર્માતા અમૃતપાલ સિંહ બ્રિન્દા અને નિર્દેશક આનંદ તિવારી સહિત 120 મહેમાનો હાજરી આપશે. આ સિવાય આ લિસ્ટમાં ઈન્ડસ્ટ્રીના ઘણા નામ સામેલ છે. મોડી સાંજે કેટરિનાની મમ્મી સુઝેન ટર્કોટ, બહેનો નતાશા, ઈસાબેલ કૈફ, ભાઈ સબાશિયન લોરેન્ટ મિકેલ, કેટરીના અને વિકી કૌશલ જયપુર પહોંચી ગયા છે. આ લગ્નના કાર્યો આજે 7 તારીખથી શરૂ થશે. રિપોર્ટ્સ અનુસાર સલમાનના બોડીગાર્ડ શેરાની કંપની લગ્નમાં સુરક્ષા વ્યવસ્થા જોઈ રહ્યો છે.
  • નોંધનીય છે કે ગત શુક્રવારે જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર કિશનની અધ્યક્ષતામાં સ્થાનિક વહીવટી અધિકારીઓએ બેઠક યોજીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં એસપી રાજેશ સિંહ, એડીએમ સૂરજ સિંહ નેગી, ઈવેન્ટ કંપનીના પ્રતિનિધિઓ અને હોટેલ સ્ટાફ પણ હાજર હતો. જ્યાં કેટરીના અને વિકીના લગ્નની વિધિઓ યોજાવાની છે. ભીડને કાબૂમાં રાખવા અને સુરક્ષા માટે આ બેઠક સવાઈ માધોપુરમાં કરવામાં આવી હતી.
  • જો સમાચારનું માનીએ તો લગ્નમાં મુંબઈથી ઘણી હસ્તીઓ આવવાની આશા છે જેની એક ઝલક મેળવવા માટે સ્થાનિક લોકો ત્યાં પહોંચી શકે છે. આ લગ્ન માટે મુંબઈથી 40 પંડિતોની ટીમ ચોથ કા બરવાડા પહોંચશે. આ 40 પંડિતો માટે ધર્મશાળામાં રૂમ બુક કરવામાં આવ્યા છે. આ 40 પંડિતો ચોથ કા બરવાડામાં જ આવેલી ધર્મશાળામાં રહેવાના છે.
  • 4 ડિસેમ્બર શનિવારના રોજ કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્ન માટે પેવેલિયન તૈયાર કરવામાં આવ્યો હતો. આ પેવેલિયનને રજવાડાનો લુક આપવામાં આવ્યો છે. આ પેવેલિયન સંપૂર્ણપણે કાચથી ઢંકાયેલું હશે. આવી સ્થિતિમાં કેટરીના કૈફ અને વિકી કૌશલ રજવાડા સ્ટાઈલમાં જોવા મળતા આ શીશમહલ જેવા પેવેલિયનમાં સાત ફેરા લેશે. રાજસ્થાન પહોંચ્યા બાદ પણ આ કપલે હજુ સુધી તેમના લગ્નની જાહેરાત કરી નથી.

Post a Comment

0 Comments