ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કરી દીધો હતો, પછી થયો ચમત્કાર માતાનો પુકાર સાંભળીને ચાલવા લાગ્યો પુત્રનો શ્વાસ

  • એવું કહેવામાં આવે છે કે ભગવાન આજે પણ આ દુનિયામાં હાજર છે જેના કારણે લોકોમાં ભગવાન પ્રતિ અવિરત શ્રદ્ધા જોવા મળે છે. આવા ઘણા ચમત્કારો સમયાંતરે થાય છે જે ભગવાનની હાજરીની છાપ આપે છે. ઘણીવાર ઘણા સમાચાર સાંભળવામાં આવે છે તે જાણ્યા પછી લોકોને તેના પર વિશ્વાસ થતો નથી. આપણે બધા જાણીએ છીએ કે આ દુનિયાની સૌથી મોટી સત્યતા મૃત્યુ છે. જેણે જન્મ લીધો છે તે ચોક્કસપણે એક દિવસ આ દુનિયા છોડીને જરૂર જશે.
  • તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ મૃત વ્યક્તિ ફરીથી જીવંત થઇ ગયો હોય? હા તેવું કહેવામાં આવે છે ને કે જન્મ અને મૃત્યુ બંને ભગવાનના હાથમાં છે. જ્યાં સુધી ભગવાન નહીં ઇચ્છે ત્યાં સુધી માણસ પૃથ્વી પર જન્મી શકે નહીં અને ન તો માણસનું મૃત્યુ થઇ શકે છે. આજે અમે તમને આવા ચમત્કાર વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જે જાણ્યા પછી તમે પણ ભગવાનમાં વિશ્વાસ કરશો. ખરેખર હરિયાણામાં આવી ઘટના બની છે એ જાણ્યા પછી તમને બધાને કોઈ ફિલ્મની વાર્તા જેવી લાગશે પરંતુ અહીં મૃત બાળક તેની માતાનો અવાજ સાંભળીને પાછો જીવિત થઇ ગયો છે.
  • જણાવી દઈએ કે આ મામલો હરિયાણાના બહાદુરગઢથી સામે આવ્યો છે. જ્યાં ડોકટરો દ્વારા એક બાળકને મૃત જાહેર કરાયો હતો પરંતુ જ્યારે તે બાળકના અંતિમ સંસ્કારની તૈયારી ચાલી રહી હતી ત્યારે અચાનક જ બાળક શ્વાસ લેવાનું શરૂ કરી દીધું હતું. આપને જણાવી દઈએ કે 26 મેના રોજ દિલ્હીમાં સારવાર દરમિયાન ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કરી દીધું હતું ત્યારબાદ પરિવારના સભ્યો તે બાળક સાથે બહાદુરગઢ આવ્યા હતા. દરેક જણ બાળકના અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યા હતા. પોતાના બાળકની ડેડબોડી જોઇને માતાનો રડી રડીને ખરાબ હાલત થઇ ગઈ હતી. માતા તેના બાળકના માથા પર ચુંબન કરીને રડતી હતી અને આ દરમિયાન માતાનો અવાજ સાંભળીને બાળક શ્વાસ લેવાનું ચાલુ કર્યું.
  • જ્યારે ત્યાં હાજર લોકોએ જોયું કે બાળકના શરીરમાં હલચલ થઈ રહી છે ત્યારે તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં 20 દિવસની સારવાર બાદ બાળક સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર બહાદુરગઢનો રહેવાસી હિતેશ અને તેની પત્ની જાનવીનો પુત્ર ટાઇફાઇડ થવાના કારણે બીમાર હતો જેના માટે તેમને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને 26 મેના રોજ તબીબો દ્વારા બાળકોને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
  • એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મૃત જાહેર કરવામાં આવેલ બાળકને જયારે તેની માતા બોલાવી રહી હતી ત્યારે તેણે અચાનક શ્વાસ લેવાનું શરૂ કરી દીધું હતું ત્યારબાદ બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને ડોક્ટરોએ બાળકને બચાવવા માટે ખુબ જ પ્રયાસ કર્યો હતો અપેક્ષા માત્ર 15% જ હતી. પરંતુ પરિવારે તબીબોને હજી પણ કહ્યું હતું કે તમારે સારવાર શરૂ કરવી જોઈએ ત્યારબાદ બાળકે ઝડપથી રિકવર થવાનું શરૂ કર્યું અને મંગળવારે તે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો અને પાછો તેના ઘરે આવી ગયો. બાળક સાજો થઈને ઘરે પહોંચે ત્યારે આખા ગામમાં ખુશીનો માહોલ હતો. બાળકના દાદા આને ભગવાનનો ચમત્કારને માની રહ્યા છે.

Post a Comment

0 Comments