સાઉથ ફિલ્મ સ્ટાર જુનિયર એનટીઆર રાવ એક જાણીતા એક્ટર છે. તેમનો જાદુ માત્ર દક્ષિણથી જ નથી. તેમણે દેશભરમાં તેમના પ્રેક્ષકો બનાવ્યા છે. તેમના કડક ડાઈલોગ અને એક્શનને કારણે તે આજે રાષ્ટ્રીય અભિનેતા બની ગયો છે. આ કારણોસર તેમની પ્રથમ પૈન ઇન્ડિયા ફિલ્મ આરઆરઆર વિશે પણ દર્શકોમાં એક મોટો ક્રેઝ જોવા મળી રહ્યો છે. પરંતુ ખૂબ જ ઓછા લોકોને ફિલ્મ સ્ટાર જુનિયર એનટીઆરના અંગત જીવન વિશે કંઈપણ ખબર નથી. જુનિયર એનટીઆર રાજકીય અને સિનેમા પરિવારના છે.
આ અભિનેતા જુનિયર એનટીઆરને તેના દાદા એનટી રામા રાવનો પ્રેમ અને સ્નેહ જ નહીં પરંતુ તેમના દાદાનું નામ પણ મળ્યું છે. પરંતુ તેના જીવનનો માર્ગ એટલો સરળ નથી. એક સમય એવો હતો જ્યારે તેના દાદાએ આ અભિનેતાને અપનાવવાનો ઇનકાર કર્યો હતો. જુનિયર એનટીઆરના દાદા તેલુગુ સિનેમાના દીગ્દજ અભિનેતા જ નહીં પણ આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પણ હતા. તેમના દાદા એન.ટી. રામારાવના પુત્ર નંદમૂરી હરિકૃષ્ણ હતા. નંદમૂરી હરિકૃષ્ણએ લક્ષ્મી નંદમૂરી સાથે લગ્ન કાર્ય હતા.
લગ્નના 10 વર્ષ પછી જુનિયર એનટીઆર ના પિતા નંદમૂરી હરિકૃષ્ણનું હૃદય તેની માતા શાલિની નંદમૂરી પર પડ્યું. આ પછી બંનેના લગ્ન થયા. કેટલાક મીડિયા અહેવાલો અનુસાર જુનિયર એનટીઆરની માતા શાલિની નંદમૂરીએ લગ્નના કેટલાક મહિના પછી જ જુનિયર એનટીઆરને જન્મ આપ્યો હતો. જ્યારે નંદમૂરી હરિકૃષ્ણના પિતા અને તેની પ્રથમ પત્નીને આ લગ્નની ખબર પડી ત્યારે તેના પરિવારમાં મોટી લડાઈ થઈ. જુનિયર એનટીઆરના દાદાએ પણ આ લગ્ન સ્વીકારવાની ના પાડી હતી.
જુનિયર એનટીઆરના પિતાને આ લગ્ન પછી જ તેમના ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદથી તે નંદમૂરી પરિવારથી અલગ રહેવા લાગ્યા. તમારામાંથી ઘણા ઓછા લોકોને ખબર હશે કે આ અભિનેતાનું સાચું નામ જુનિયર એનટીઆર નથી પરંતુ તારક છે. તારકના જન્મના ઘણા વર્ષો પછી જ તેમના દાદાએ તેમના પિતા અને તેની માતાના લગ્નનો સ્વીકાર કર્યો હતો. તારક ઉર્ફે જુનિયર એનટીઆર બાળપણથી ખૂબ જ પ્રતિભાશાળી હતો. તે જલ્દીથી તેના પરિવારમાં પ્રિય બની ગયો. તેના દાદા આ જ કુશળતાથી પ્રભાવિત થયા હતા. તે બાળપણમાં એક અભિનેતા તરીકે જોવા મળ્યા હતા.
તારકએ તેમના પિતા અને દાદાને કારણે બાળપણથી જ ટીવી સિરિયલો અને ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે એકવાર રામાયણમાં ભગવાન રામની ભૂમિકા ભજવી હતી. આ ભૂમિકા બદલ તેમને રાષ્ટ્રીય એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. તારકના બાળપણની પ્રતિભાને જોતા તેમને સમજાયું કે તે તેમના વારસોને ખૂબ સારી રીતે આગળ લઈ જઈ શકે છે. આ કારણોસર તેના દાદાએ તેમના પિતાના ચાર સંતાનોમાંથી માત્ર તારકને તેનું નામ આપ્યું. આ કારણોસર પછીથી તે જુનિયર એનટીઆર તરીકે ઉભરી આવ્યો.
0 Comments