ઝૂંપડીમાં રહેતા ચૌકીદાર બન્યા IIM પ્રોફેસર, વાંચો આ કહાની તમારું જીવન બદલી દેશે

  • કહેવામાં આવે છે કે જે લોકો પ્રયત્ન કરે છે તે ક્યારેય નિષ્ફળ થતાં નથી. જો તમે એકવાર જીવનમાં કંઇક કરવાનું નક્કી કરો છો તો તમારું દરેક સ્વપ્ન સાકાર કરવામાં સમય લાગશે નહીં. હવે 28 વર્ષીય રણજીત રામચંદ્રનની વાત જ લો. કેરળનો વતની રણજિત રાંચી આઈઆઈએમ (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ) માં પ્રોફેસર છે. જો કે એક સમય હતો જ્યારે તે ઝૂંપડીમાં રહેતો અને ભણવા નો ખર્ચ કાઢવા માટે નાઈટમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતો.
  • તાજેતરમાં રણજીતે પોતાના ફેસબુક એકાઉન્ટ પર ઝૂંપડીનો ફોટો શેર કર્યો છે. આ તસવીર સાથે તેમણે લોકોને સંઘર્ષથી સફળતા સુધીની કહાની પણ કહી છે. હવે તેની આ પોસ્ટ ફેસબુક પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. ફેસબુક પર પોતાની કહાની શેર કરતાં તે કહે છે કે આ તે ઘર છે જ્યાં મારો જન્મ થયો મોટો થયો અને ખુબ ખુશીઓથી જીવ્યો.. આ તે ઘર છે જ્યાં આઈઆઈએમ (ઇંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ) ના સહાયક પ્રોફેસરનો જન્મ થયો હતો.
  • તેઓ આગળ જણાવે છે - આજે હું આ ઘરથી આઈઆઈએમ -રાંચી સુધીની સફર શેર કરી રહ્યો છું. મેં વિચાર્યું હતું કે મારી સફળતાની કહાની કોઈના સ્વપ્નના ખાતર બની શકે છે. સ્કૂલ ભણ્યા પછી રામચંદ્રન એસટી પીયસ એક્સ કોલેજમાં બી.એ. ઇકોનોમિક્સનું ભણવા માટે ગયા. અહીં તેમને સમજાયું કે તેમના પરિવારને ભણવાનો ખર્ચ પરવડી શકે તેમ નથી. આવી સ્થિતિમાં તેણે પોતાનો અભ્યાસ છોડી દીધો. તે દરમિયાન તેને નાઈટ વોચમેનની નોકરી માટેની જાહેરાત જોઈ. તેણે આ નોકરી માટે અરજી કરી.
  • હવે તેણે પાનાથુરમાં બીએસએનએલ ટેલિફોન એક્સચેંજમાં નાઈટ વોચમેન તરીકે કામ કરવાનું શરૂ કર્યું. અહીં તેણે રાત્રે ટેલિફોન એક્સચેંજમાં કામ કર્યું અને દિવસ દરમિયાન અભ્યાસ કર્યો. આ કામ તેણે 5 વર્ષ સુધી કર્યું. તેનો પહેલો પગાર મહિને 3500 રૂપિયા હતો. 5 માં વર્ષ સુધીમાં તે મહિનામાં 8 હજાર રૂપિયા થઈ ગયો.
  • આ નોકરીમાંથી મળતી આવક સાથે તેમણે પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. આ પછી પી.એચ.ડી. માટે આઈઆઈટી મદ્રાસમાં પ્રવેશ મળ્યો. જોકે રામચંદ્રન ફક્ત મલયાલમ ભાષા જ જાણતા હતા. તેથી તેઓને ઘણી મુશ્કેલી પડી હતી. તેણે પીએચડી છોડવાનો નિર્ણય લીધો હતો. પરંતુ તે પછી તેના માર્ગદર્શક સુભાષે આવું કરવાથી રોકી લીધા.
  • રામચંદ્રને ત્રણ પ્રકાશનો સાથે 4 વર્ષ 3 મહિનામાં પીએચડી પૂર્ણ કરી. ગયા વર્ષે ઓક્ટોબરમાં તેણે આઈઆઈએમ રાંચીમાં સહાયક પ્રોફેસરની નોકરી માટે અરજી કરી હતી. હવે તેને આઈઆઈએમ તરફથી એપોઇન્ટમેન્ટ લેટર મળી ગયો છે. આ નવી નોકરી પછી તે લોન લઇને પરિવાર અને ભાઈ-બહેન માટે ઘર બનાવવાની ઇચ્છા ધરાવે છે.

Post a Comment

0 Comments