દેવાથી મુક્તિ મેળવવા માટે વાસ્તુ શાસ્ત્રમાં જણાવેલ આ ઉપાય કરો. આ ઉપાય કરવાથી એક મહિનાની અંદર તમને પૈસા મળશે અને તમારું દેવું ઉતરી જશે. વાસ્તુ શાસ્ત્ર મુજબ જો ઘરમાં વધુ નકારાત્મક ઉર્જા હોય. તેનાથી ધન મળતું નથી અને ઘરના લોકો દેવામાં દબાઇ જાય છે. તેથી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા ન હોય. આ સિવાય દેવાથી મુક્તિ મેળવવા માટે, તમારે નીચે આપેલા ઉપાયો પણ કરવા જોઈએ. આ ઉપાય ખૂબ અસરકારક છે અને તેમને કરવાથી દેવું ધીરે ધીરે ઉતરવાનું શરૂ થશે. સાથોસાથ મા લક્ષ્મીનો વાસ પણ ઘરમાં થાય છે.
રાત્રે ભરીને રાખો પાણી
જો દેવાથી છૂટકારો મેળવવો હોય તો. તો રાત્રે સૂતા પહેલા એક ડોલમાં પાણી ભરીને રાખો. બીજા દિવસે ઊઠીને આ પાણીથી આખું બાથરૂમ સાફ કરો. આ કરવાથી ઘરમાં હાજર નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધશે. એવું માનવામાં આવે છે કે રાત્રે બાથરૂમમાં પાણીની ડોલ ભરીને રાખવાથી તેમાં નકારાત્મક ઉર્જા સમાય જાય છે.
આ ઉપાય કરતી વખતે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે આ પાણીનો ઉપયોગ અન્ય કોઈ હેતુ માટે ન કરવો જોઇએ. ખાસ કરીને નહાવા અને હાથ ધોવા માટે. આ પાણીનો ઉપયોગ ફક્ત સાફ કરવા માટે કરો.
ક્યારેય ન રાખો પાણીની ડોલ ખાલી
વાસ્તુ મુજબ પાણીની ડોલ બાથરૂમમાં ક્યારેય ખાલી ન રાખવી જોઈએ. માનવામાં આવે છે કે બાથરૂમમાં ખાલી ડોલ રાખવાથી નકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે અને આ ઉર્જા આખા ઘરમાં ફેલાય છે. તેથી હંમેશાં પાણીની ડોલ કા તો પાણીથી ભરેલી રાખો અથવા ડોલને ઉંધી રાખો. આ કરવાથી નકારાત્મક ઉર્જા આવશે નહીં. આ સિવાય સવારે ઉઠતી વખતે અથવા કોઈ કામ માટે બહાર નીકળતી વખતે ખાલી ડોલ સામે આવવું શુભ માનવામાં આવતું નથી.
રાખો વાદળી રંગની ડોલ
વાદળી રંગની ડોલને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી તમારા બાથરૂમમાં આ રંગની ડોલ જ રાખો. વાદળી ડોલ રાખવાથી ઘરની સુખ સમૃધ્ધિ જળવાય રહે છે અને પૈસાની કમી ક્યારેય આવતી નથી. જો કે ધ્યાનમાં રાખો કે આ ડોલમાં પણ પાણી ભરેલું જ હોવું જોઈએ.
પાણી ન થાય લિક
ધ્યાનમાં રાખો કે ઘરમાં લગાવેલ નળથી એકદમ યોગ્ય રીતે કાર્ય કરે છે કે નહિ. જો નળમાંથી પાણી પડતું હોય તો. તરત જ તેને રીપેર કરી દો. માનવામાં આવે છે કે ખરાબ નળ હોવાથી અને વારંવાર પાણી પડવાથી ઘરમાં માં લક્ષ્મીનો વાસ થતો નથી. જીવનમાં હંમેશા પૈસાની તંગી રહે છે.
બાથરૂમમાં રાખો મીઠું
ઘરના બાથરૂમમાં બાઉલની અંદર મીઠું ભરીને રાખો. આ વાટકી કાચની બનેલી હોવી જોઈએ. વાસ્તુ મુજબ બાથરૂમમાં મીઠું રાખવાથી તે બધી નકારાત્મક ઉર્જા તેમાં સમાય જાય છે અને ઘરની નકારાત્મક ઉર્જા નાશ પામે છે. આ મીઠાનો વાટકો ઓછામાં ઓછા સાત દિવસ બાથરૂમમાં રાખો.
બાથરૂમ ગંદુ ન રાખો
બાથરૂમ હંમેશા સાફ રાખો. ગંદા બાથરૂમમાં નકારાત્મક ઉર્જા જોવા મળે છે. હકીકતમાં આનાથી બાથરૂમમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે જે આખા ઘરમાં ફેલાય છે. તેથી તમારૂ બાથરૂમ ગંદૂ ન થવા દો અને તેને હંમેશા સાફ રાખો.
0 Comments