દહેજમાં હત્યા : પિતા બોલ્યા - ના આપી શક્યો ક્રેટા કાર તો દીકરીને મારી નાખી

  • ગુરુગ્રામમાં એક પરિણીત મહિલાનું શંકાસ્પદ રીતે મોત નીપજ્યું. મૃતકના પરિવારજનોએ તેના પતિ અને સાસરિયાઓ સામે દહેજ હત્યાનો કેસ દાખલ કર્યો છે. મૃતકની ઓળખ તનુજા તરીકે થઈ છે. તે એક બેંકમાં નોકરી કરતી હતી. પિતાનો આરોપ છે કે તેણે દહેજમાં દિકરીના જમાઇને ક્રેટા કાર આપી નહોતી, તેથી જ તેઓએ તનુજાને ઝેર આપીને તેની હત્યા કરી છે.


  • તનુજા ગુરુગ્રામના હયાતપુરમાં એક ખાનગી બેંકમાં એક્ઝિક્યુટિવની પોસ્ટ પર તૈનાત હતી. હકીકતમાં, તનુજાના લગ્ન 24 મે 2020 માં ખરખાડી ગામના રહેવાસી સંદીપ સાથે થયા હતા. આ લગ્ન લવ વિથ અરેંજ મેરેજ હતા. 3 દિવસ પહેલા 7 માર્ચના દિવસ સંદીપના પરિવારજનોએ તનુજાના પિતાને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તનુજા હોસ્પિટલમાં એડમિટ છે.


  • મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી પતિ સંદિપ અને તેના પરિવાર વિરુદ્ધ આઈપીસીની કલમ 3૦4 બી (દહેજ હત્યા) અને દહેજ માંગવાની કલમ 498એ સહિતની ધારાઓમાં ગુનો નોંધ્યો હતો. તનુજાના પિતાએ પણ પોતાની તહરીરમાં કહ્યું હતું કે લગ્ન પછી 'ક્રેટા' કાર ન આપી, તેથી તેણે તેની હોનહાર પુત્રીની હત્યા કરી નાખી.


  • કહેવામાં આવી રહ્યું છે કે સંદિપ અને તેનો પરિવાર તનુજાને માર મારતો હતો. તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. જોકે આ મામલે બંને પરિવારો વચ્ચે ઘણી વખત વાતચીત થઈ હતી, પરંતુ આ હોવા છતાં સંદીપ અને તેના પરિવારજનોની દહેજની માંગ વધતી જ જતી હતી. તેનથી પરેશાન તનુજાનું શંકાસ્પદ રીતે મોત નીપજ્યું હતું. હવે બિલાસપુર પોલીસ સ્ટેશનની પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે.

Post a Comment

0 Comments