સરકાર મફતમાં આપી રહી છે એલપીજી કનેક્શન અને 1600 રૂપિયા, જાણો તમને કેવી રીતે મેળશે?

  • 1 ફેબ્રુઆરીએ રજૂ કરાયેલા બજેટમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ઉજ્જવલા યોજના (Ujjwala Yojana) હેઠળ 1 કરોડ થી વધુ ગેસ જોડાણો આપવાની જાહેરાત કરી હતી. નાણામંત્રીએ કહ્યું છે કે નિશુલ્ક એલપીજી યોજના (ઉજ્જવલા) નો વિસ્તાર કરવામાં આવશે અને એક કરોડ થી વધુ લાભાર્થીઓને તેના કાર્યક્ષેત્ર હેઠળ લાવવામાં આવશે. ઉજ્જવલા યોજનામાં 2011 ની વસ્તી ગણતરી મુજબ બીપીએલ કેટેગરીમાં આવતા પરિવારો લાભ મેળવી શકે છે.
  • ઉજ્જવલા યોજનામાં 1 કરોડ લોકોને ઉમેરવામાં આવશે
  • ટૂંક સમયમાં એક કરોડ મહિલાઓ ઉજ્જવલા યોજનાનો લાભ લઈ શકશે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત સરકાર ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને ઘરેલું એલપીજી ગેસ (LPG) કનેક્શન્સ પ્રદાન કરે છે. આ ઉજ્જવલા યોજના અંતર્ગત કુલ 8 કરોડ BPL પરિવારોને મફત LPG જોડાણો આપવાનું લક્ષ્ય છે.
  • પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શું છે
  • ઉજ્જવલા યોજના અંતર્ગત ભારત સરકાર ગરીબી રેખા નીચે જીવતા દરેક પરિવારને ઉજ્જવલા યોજના અંતર્ગત 1600 રૂપિયાની આર્થિક સહાય કરશે. આ રકમ એલપીજી ગેસ કનેક્શન ખરીદવા માટે રહેશે. આ સાથે, પ્રથમ વખત સ્ટોવ ખરીદવા અને એલપીજી સિલિન્ડર ભરવામાં આવતા ખર્ચને પહોંચી વળવા હપ્તા (EMI) ની સુવિધા પણ આપી શકાય છે.
  • કેવી રીતે અરજી કરવી
  • આજે પણ ગામડાઓની લાખો મહિલાઓ લાકડા અને ગોબર ના છાણાં પર ખાવાનું બનાવે છે જેના કારણે આરોગ્યને અસર થાય છે. ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન મેળવવા માટે ફક્ત BPL પરિવારની મહિલા જ અરજી કરી શકે છે. આ માટે KYC ફોર્મ ભરો અને તેને નજીકના LPG સેન્ટરમાં આપવું. અરજી કરતી વખતે તમારે એ પણ કહેવું પડશે કે શું તમે 14.2 કિલો સિલિન્ડર લેવા માંગો છો કે 5 કિલો. તમે ઉજ્જવલા યોજનાનું અરજી ફોર્મ વડા પ્રધાન ઉજ્જવલા યોજનાની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો અથવા તે એલપીજી કેન્દ્રથી પણ ઉપલબ્ધ થશે.
  • કયા દસ્તાવેજો જરૂરી છે?
  • પંચાયત અધિકારી અથવા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખ દ્વારા અધિકૃત BPL કાર્ડ, બી.પી.એલ. (BPL) રેશનકાર્ડ, આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટો, રેશનકાર્ડની નકલ, રાજપત્રિત અધિકારી દ્વારા ચકાસવામાં આવેલ સ્વ-ઘોષણા પત્ર, LIC પોલિસી, બેંક નિવેદન, BPL યાદીમાં નામનું પ્રિન્ટ આઉટ.

Post a Comment

0 Comments