મહાભારત મુજબ જો તમારા સ્વભાવમાં છે આ 6 ખામીઓ તો તમે હંમેશા દુ:ખી થશો, આજે જ છોડી દો

  • પ્રાચીન ગ્રંથ 'મહાભારત' ને ઘણા વિદ્વાનો દ્વારા પાંચમાં વેદ તરીકે પણ ઓળખવામાં આવે છે. કૌરવ પાંડવની વાર્તા ઉપરાંત આ ગ્રંથ માં જીવન વ્યવસ્થાપનની ટીપ્સ પણ આપવામાં આવી છે. આ ટીપ્સ એટલી સચોટ છે કે તે આજની જીવનશૈલીમાં પણ અપનાવી શકાય છે. મહાભારતમાં એક શ્લોક છે જેમાં માનવ પ્રકૃતિને લગતા 6 દોષો જણાવવામાં આવ્યા છે. મહાભારત મુજબ જે પણ વ્યક્તિમાં આ 6 ખામીઓ હોય છે તે હંમેશાં દુ:ખી રહે છે.આશ્લોક નીચે મુજબ છે - ઇર્ષ્યા ઘૃણો ન સંતુષ્ટ: ક્રોધનો નિત્યષડકિત. પરભાગ્યોપજીવી ચ ષડેતે નિત્યદુ: ખિતા:। ચાલો આપણે તેનો અર્થ વિગતવાર જાણીએ.
  • ઈર્ષ્યા
  • જે વ્યક્તિમાં ઈર્ષ્યાની લાગણી હોય છે એટલે કે જલનની ભાવના હોય છે તે જીવનમાં ક્યારેય સુખી હોતી નથી. આ પ્રકારની વ્યક્તિ અન્યની પ્રગતિ અને સુખ જોઇ દુખી રહે છે. તે બીજાનું ભલું જોઈ શકતા નથી. બીજાના સુખ તેને ગમતા નથી.
  • તિરસ્કાર
  • નફરતની લાગણી ધરાવતા લોકો જીવનમાં હંમેશાં નાખુશ રહે છે. આવા લોકો કોઈની સાથે વાત કરવાનું અથવા તેમની સાથે સંબંધ રાખવાનું પસંદ કરતા નથી. બીજાને ખુશ જોઈને તે દુખી થાય છે
  • ક્રોધ
  • ક્રોધ એ માણસનો સૌથી ખરાબ શત્રુ છે. ગુસ્સામાં તે વિચાર્યા વિના ખોટો નિર્ણય લે છે. ગુસ્સામાં કરેલા કામનો પસ્તાવો તેને પાછડથી થાય છે. આ રીતે આ ક્રોધ તેને ક્યારેય ખુશ રહેવા દેતો નથી.
  • અસંતોષ
  • કેટલાક લોકો એવા પણ હોય છે જે જીવનમાં ક્યારેય સંતુષ્ટ થતા નથી. તેઓ ને ગમે તેટલું મળે પણ તેઓને ઓછું જ લાગે છે. આવા લોકોના મનમાં હંમેશા અસંતોષની ભાવના રહે છે. જે પાસે છે તેની ઉજવણી કરવાને બદલે જે પાસે નથી તેનું દુખ કરે છે.
  • શંકા
  • જે લોકોમાં શંકાની ભાવના વધારે હોય છે તે લોકો હંમેશાં નાખુશ રહે છે. તેઓ ક્યારેય કોઈ પર વિશ્વાસ કરતા નથી. તે તેના સંબંધીઓ મિત્રો સહિત દરેક વ્યક્તિ પર શંકાસ્પદ રહે છે. આ સ્વભાવ તેમના દુખનું કારણ બને છે. તેમનો શકીલો સ્વભાવ તેમના મનને શાંત રહેવા દેતા નથી.
  • બીજાઓ પર નિર્ભર રહેવું
  • મજબૂરી હેઠળ કોઈના પર નિર્ભર રહેવું સમજી શકાય તેવું છે પરંતુ આળસ અથવા તમારી પ્રકૃતિને લીધે હંમેશા બીજા પર નિર્ભર રહેવું યોગ્ય નથી. આવા લોકો હંમેશાં બીજાની બુરાય સહન કરે છે. તેઓ જીવનમાં ક્યારેય ખુશ નથી રહેતા. તેઓએ દરેક ખુશી માટે બીજાઓ પર નિર્ભર રહેવું પડે છે.

Post a Comment

0 Comments