બુધવારે આ કાર્યો કરવાથી મળશે ગણેશજીના આશીર્વાદ પરંતુ તમારે આ કામોથી દૂર રહેવું પડશે

  • બુધવાર પ્રથમ પૂજનીય ભગવાન ગણેશને સમર્પિત છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. જો આપણે જ્યોતિષ શાસ્ત્ર મુજબ જોઈએ તો બુધવારને ભગવાન ગણેશનો દિવસ માનવામાં આવે છે પરંતુ લાલ કીતાબ મુજબ તે દુર્ગા માતા ના દિવસ પણ માનવામાં આવે છે. માન્યતા મુજબ બુધવારે ઉપવાસ કરવામાં આવે તો વ્યક્તિને બુધ્ધિ પ્રાપ્ત થાઈ છે. આપણે બધા જાણીએ છીએ કે કોઈ શુભ કાર્ય શરૂ કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. સૌ પ્રથમ ગણેશની પૂજા કરવાથી કાર્યમાં સફળતા મળે છે અને બધા અવરોધો દૂર થાય છે. આજે આ લેખ દ્વારા બુધવારે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ? અમે તમને તેના વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.
  • બુધવારે આ કામ કરો
  • બુધવારે કપાળ ઉપર સુકા કંકુનું તિલક લગાવવું જોઈએ.
  • બુધવારે તમે દુર્ગા માતાના મંદિરમાં જાઓ અને ત્યાં માતા દૂર્ગાની પૂજા કરો.
  • બુધવારે પૂર્વ દક્ષિણ અને નૈઋત્ય દિશામાં પ્રવાસ કરવો શુભ માનવામાં આવે છે.
  • બુધવારે વ્યક્તિએ સંપત્તિ એકઠી કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિવસે એકઠી કરેલી સંપત્તિ માં બરકત રહે છે.
  • લેખન અને વિચારમંથન માટે બુધવાર ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે.
  • બુધવાર નો દિવસ જેઓ જ્યોતિષી છે, શેર બજાર સાથે સંકળાયેલા છે, દલાલી જેવા કામ કરે છે તેમના માટે શુભ છે.
  • બુધવારે તમારે મંદિરની બહાર બેઠેલી કોઈ પણ છોકરીને આખી બદામ આપવી જોઈએ. આમ કરવાથી ઘરના તમામ પ્રકારના રોગો દૂર થઈ જશે.
  • બુધવારે આ કાર્યોથી દૂર રહો
  • બુધવારે તમારે ઉત્તર, પશ્ચિમ અને ઈશાન દિશામાં પ્રવાસ કરવાનું ટાળવું જોઈએ.
  • બુધવારે લીલી શાકભાજીનું સેવન ન કરવું જોઈએ.
  • બુધવારે નાણાંનો વ્યવહાર ભૂલથી પણ કરવો નહીં, નહીં તો તેનાથી પૈસામાં ખોટ થવાની સંભાવના વધી જાય છે.
  • છોકરીની માતાએ બુધવારે માથું ધોવું જોઈએ નહીં. જો તમે આવું કરો છો તો પછી આના કારણે છોકરીની તબિયત બગડવાની સંભાવના છે માત્ર આટલું જ નહીં પરંતુ તેની સામે અનેક પ્રકારની મુશ્કેલીઓ થવા લાગે છે.
  • સુખ અને સંપત્તિ માટે તમે આ ઉપાયો અજમાવી શકો છો
  • ગણેશજીના આશીર્વાદ મેળવવા માટે તમારે બુધવારે ભગવાન ગણેશને ચઢાવો અર્પણ કરવો જોઈએ.
  • ભગવાન ગણેશને તમે ગોળ અને ધાણા અર્પણ કરી શકો છો.
  • બુધવારે લીલા રંગ નો રૂમાલ તમારી સાથે રાખો.
  • બુધવારે તમે તમારી ક્ષમતા અનુસાર મગ ની દાળ અને તાંબાની વસ્તુઓનું દાન કરી શકો છો.
  • તમે બુધવારે સૂવાના સમયે તાંબાનાં વાસણમાં પાણી ભરો અને આખી રાત રાખો. સવારે ઉઠીને તે પાણી પી લો. જો તમે આ ઉપાય કરો છો તો પછી બુધ સાથે સંકળાયેલ તમામ રોગો દૂર થઈ જશે.
  • ઉપર તમે બુધવારે શું કરો છો અને શું નથી કરતા? આ અંગેની માહિતી આપવામાં આવી છે. આ સિવાય પણ બુધવારના દિવસ માટે ઉપાયો જણાવવામાં આવ્યા છે. જો તમે આ બધી બાબતોનું ધ્યાન રાખશો તો ભગવાન ગણેશની કૃપા તમારા પર રહેશે અને તમારી જીવન મુશ્કેલીઓ ઓછી થઈ શકે છે.

Post a Comment

0 Comments