ભાગ્યશ્રીનું ઘર કોઈ રાજ મહેલથી ઓછું નથી, જીવે છે લકઝરી લાઇફસ્ટાઇલ: જુઓ તસ્વીરો

  • બોલિવૂડની સુપરહિટ ફિલ્મ મૈંને પ્યાર કિયાને રિલીઝ થયાને 31 વર્ષ થયા છે પરંતુ આ ફિલ્મની અભિનેત્રી ભાગ્યશ્રી હજી પણ દર્શકોના દિલમાં રાજ કરે છે. ફિલ્મમાં તેમના શાનદાર અભિનયની દરેકની પ્રશંસા કરી હતી. મૈંને પ્યાર કિયાની સુંદર સુમન હવે 51 વર્ષની છે અને તે પણ બે બાળકોની માતા બની છે. પરંતુ સલમાન ખાનને ફિલ્મ મૈંને પ્યાર કિયાથી જેટલી લોકપ્રિયતા મળી, એટલી જ લોકપ્રિયતા ભાગ્યશ્રીને મળી.
  • મૈંને પ્યાર કિયા ફિલ્મ પછી ભાગ્યશ્રી યુવાનોના દિલની ધડકન બની ગઈ અને લોકો કહેવા લાગ્યા કે ભાગ્યશ્રી બાદમાં ઇંડસ્ટ્રીની મોટી સ્ટાર બનશે. તેમને ફિલ્મો ઓફર પણ મળી રહી હતી, પરંતુ તે જ સમયે ભાગ્યશ્રીએ તેમના બોયફ્રેન્ડ હિમાલય દસાની સાથે લગ્ન કર્યા. આ પછી ભાગ્યશ્રી હિમાલય સાથે પોતાની ફિલ્મ કરવા માંગતી હતી. આવી સ્થિતિમાં જે પણ નિર્માતા આવે ભાગ્યશ્રી તેની સામે એક શરત મૂકી દીધી હતી કે તેનો હીરો ફિલ્મમાં હિમાલય હશે.
  • એક્ટ્રેસની આ વિચિત્ર શરત કોઈ પણ નિર્માતાને સ્વીકાર્ય નહોતી. તેથી તેમણે સારી ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું. તેને જે બે ચાર ફિલ્મો મળી તે બધી બી-ગ્રેડની ફિલ્મો હતી. ભાગ્યશ્રીએ કેદ મે હે, બુલબુલ, ત્યાગી, પાયલ અને ઘર આયા પરદેસી જેવી ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો હતો, પરંતુ તે સફળ ન થઈ અને આ ફિલ્મો ફ્લોપ રહી. આવી સ્થિતિમાં ભાગ્યશ્રીને વન ફિલ્મ વંડર સાથે ટેગ કરવામાં આવી હતી.
  • આ સાથે જ ભાગ્યશ્રી તેમના ઍક્ટિંગ કરિયરની બીજી ઇનિંગ્સ શરૂ કરવા જઈ રહી છે. તે આગામી દિવસોમાં પ્રભાસ સ્ટારર ફિલ્મ રાધે શ્યામમાં જોવા મળશે. આ સિવાય ભાગ્યશ્રી કંગના રનૌતની ફિલ્મ થલાઈવીમાં પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. બસ, ભાગ્યશ્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે હંમેશાં તેમના ફોટાઓ સાથે તેમના સુંદર ઘર પરિવારના ફોટા શેર કરે છે.
  • રાજ મહેલથી ઓછું નથી ભાગ્યશ્રીનું ઘર, જુઓ તસ્વીરો…
  • જણાવી દઈએ એક્ટ્રેસના પતિ હિમાલય દસાની મુંબઈના એક મોટા ઉદ્યોગપતિ છે. એક્ટ્રેસ તેમના પતિ અને બાળકો સાથે મુંબઇના વિલે પાર્લે વિસ્તારમાં રહે છે જણાવી દઈએ કે ભાગ્યશ્રી અને હિમાલયએ ત્રણ માળનું વૈભવી ઘર બનાવ્યું છે. ભાગ્યશ્રી આ ત્રણ માળના મકાનમાં પતિ અને બે બાળકો સાથે રહે છે. તેઓને એક પુત્ર અભિમન્યુ દસાની અને એક પુત્રી છે જેનું નામ અવંતિકા દસાની છે. આજે આ લેખમાં તેમના ભવ્ય ઘર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ…
  • એક્ટ્રેસના ઘરની સામે એક મોટો બગીચો છે, અહીં ઘણા સરસ છોડ છે. જેનાથી આખા વિસ્તારની સજાવટ જોવા મળે છે.
  • એક્ટ્રેસનું ઘર બહારથી વૈભવી લાગે છે, તે એટલું જ અંદરથી ભવ્ય અને શાનદાર છે. તમે ઘરમાં પ્રવેશતાની સાથે જ ઘરની ફ્લોરિંગ જોઈને ફીદા થઈ જસો. અહીં ઉત્તમ ગુણવત્તાવાળી ટાઇલ્સ અને આરસનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ઘરને સુંદર બનાવે છે.
  • આ ઘરના મોટા લીંવિંગ રૂમમાં એક મોંઘો અને મખમલનો સોફો છે. એક બાજુ જ્યાં લાલ સોફા રાખ્યા છે, તો બીજી બાજુ સોનેરી સોફા છે. આ લીંવિંગ રૂમ કોઈ રાજમહેલથી ઓછો લાગતો નથી.
  • તમારી માહિતી માટે જણાવી દઈએ કે વાસ્તવિક જીવનમાં પણ ભાગ્યશ્રી એક રાજવી પરિવારની છે. તે મહારાષ્ટ્રની સાંગલીની રાજવી છે. તે જાણીતું છે કે ભાગ્યશ્રી, શ્રીમંત રાજા વિજયસિંહ રાવ માધરાવ પટવર્ધનની પુત્રી છે અને તેથી જ અભિનેત્રીનું પૂરું નામ શ્રીમંત રાજકુમારી ભાગ્યશ્રી રાજે પટવર્ધન છે.
  • તેમ જ ભાગ્યશ્રીના મુંબઇના ઘરમાં પણ રાજવી પરિવારની સંપૂર્ણ ઝલક છે. તેમના ઘરમાં પણ રાજઘર વાળી આન બાન અને શાન નજરે પડે છે. તેઓએ ઘરના દરેક ખૂણાને ખૂબ જ ભવ્ય રીતે શણગારેલા છે.


  • ભાગ્યશ્રીના ઘરની સીડી ખૂબ જ સુંદર અને ભવ્ય છે, જે આ ઘરને અન્ય ઘરથી અલગ બનાવે છે. એટલું જ નહીં, એક્ટ્રેસએ લિવિંગ રૂમની આ સીડીની આજુબાજુ સજાવટનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે.

  • પડદા અને ફર્નિચરનું કોમ્બિનેસન પણ ઘરમાં જોવા મળે છે. આટલું જ નહીં ભાગ્યશ્રીના ઘરની અંદર ઇન્ડોર પ્લાન્ટ્સ પણ છે, જે ઘરની સુંદરતામાં વધારો કરે છે.
  • જણાવી દઈએ કે ભાગ્યશ્રીને ગોલ્ડન કલરથી વિશેષ લગાવ છે, તેથી જ ઘરની આખી સજાવટમાં ગોલ્ડન કલરને ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.

  • બેડરૂમ વિશે વાત કરીયે તો તે ગ્રાઉન્ડ ફ્લોર પર નહીં પણ ઉપરના ફ્લોર પર છે અને અહીં સીધો સૂર્યપ્રકાશ આવે છે. ભાગ્યશ્રી અને તેમના પતિ હિમાલય દાસનીને પ્રકૃતિ અને હરિયાલીનો વિશેષ લગાવ છે, તેથી જ આ ઘરની આસપાસ ઘણાં બધાં વૃક્ષો વાવવામાં આવ્યા છે.
  • પહેલા માળે કસરત કરવા માટે જીમ છે.

Post a Comment

0 Comments