છૂટાછેડા પછી આ 7 અભિનેત્રીઓએ ક્યારેય ન આવ્યો બીજા લગ્નનો ખ્યાલ, આજ પણ જીવે છે સિંગલ લાઇફ

  • બોલીવુડના ગ્લોઝી વર્લ્ડમાં રિલેશનશિપ બનવું અને બગડવાની વાત ખૂબ સામાન્ય છે. અહીં સેલેબ્સ જેટલા જલ્દી એકબીજા સાથે સંબંધ બાંધે છે, તેટલા જલ્દી તેઓ સંબંધ તોડી નાખે છે. જોકે લગ્નજીવન એક અતૂટ બંધન માનવામાં આવે છે, પરંતુ બોલિવૂડમાં આ સંબંધની પણ બાંહેધરી નથી. બોલિવૂડની ઘણી એવી અભિનેત્રીઓ છે જેઓ તેમના પસંદગીથી લવ મેરેજ કરે છે અને કેટલીક અભિનેત્રીઓએ પરિવારની પસંદગીથી અરેંજ મેરેજ કર્યા. પરંતુ આ લગ્નનું પરિણામ માત્ર છૂટાછેડા જ આવ્યું છે. જો કે હવે આ અભિનેત્રીઓ ખુશ સિંગલ લાઇફ માણી રહી છે. ચાલો જાણીએ આ સૂચિમાં કોણ કોણ છે શામેલ.
  • કરિશ્મા કપૂર
  • બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક કરિશ્મા કપૂરે 2003 માં દિલ્હીના બિસનેસમેન સંજય કપૂર સાથે સાત ફેરા લીધા હતા. બંને તેમના લગ્ન જીવનથી ખુશ હતા, પરંતુ લગ્નના 11 વર્ષ બાદ બંનેએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું. કરિશ્મા કપૂરે વર્ષ 2014 માં છૂટાછેડા કેસ ફાઇલ કરી હતી અને બંનેને 2016 માં સત્તાવાર છૂટાછેડા મળી ગયા હતા. હાલમાં બંને બાળકોની કસ્ટડી કરિશ્મા કપૂર પાસે છે.
  • કરિશ્મા કપૂર તેના બે બાળકો સાથે મુંબઇના એક ફ્લેટમાં રહે છે, જે ફ્લૅટ તેમને સંજય કપૂર પાસેથી અલીમનીમાં મળ્યો હતો. જો કે કરિશ્મા સિંગલ છે અને તેના બાળકો સાથે ખૂબ ખુશ છે. વર્કફ્રન્ટ વિશે વાત કરીયે તો ઑલ્ટ બાલાજીની વેબ સિરીઝ મેન્ટલહુડમાં જોવા મળી હતી. જણાવી દઈએ કે કરિશ્માએ સંજય કપૂરથી છૂટાછેડા પછી ઉદ્યોગપતિ સંદીપ તોશનીવાલને ડેટ કરી હતી, પરંતુ આ સંબંધ વધુ સમય સુધી ટકી શક્યો નહીં.
  • મનીષા કોઈરાલા
  • આ યાદીમાં નેપાળી અભિનેત્રી મનીષા કોઈરાલાનું નામ પણ શામેલ છે. મનીષાએ ઘણા લોકોને ડેટ કરી હતી, પરંતુ દરેક વખતે તેમને છેતરપિંડી જ થઈ હતી. આવી સ્થિતિમાં જ્યારે તેણે લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે આ નિર્ણયથી તેમના જીવનમાં ફક્ત દુખ જ આવ્યું. વર્ષ 2010 માં તેણે નેપાળના ઉદ્યોગપતિ સમ્રાટ દહલ સાથે લગ્ન કર્યા, પરંતુ લગ્નના 1 વર્ષ પછી જ તેમની વચ્ચે ઝઘડો થયો. તે દિવસોમાં મનીષાએ ફેસબુક પર લખ્યું, 'મારો પતિ મારો દુશ્મન બની ગયો છે, એક સ્ત્રી માટે તે કેટલું ખરાબ હોઈ શકે છે.'
  • જણાવી દઈએ કે આ લગ્ન ફક્ત 3 વર્ષ જ ટકી શક્યા અને આ પછી બંનેના છૂટાછેડા થયા. સમ્રાટથી છૂટાછેડા પછી મનીષાએ કેન્સર જેવી જીવલેણ બીમારી સામે લડ્યા અને તેણે આ લડાઇ સારી રીતે જીતી લીધી. કેન્સરને પરાજિત કર્યા પછી મનીષાએ ફિલ્મોમાં કમબેક કર્યું અને વર્ષ 2018 માં સંજુ ફિલ્મમાં દેખાઈ. એટલું જ નહીં મનીષાએ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર પ્રસારિત વેબ સિરીઝ લસ્ટ સ્ટોરીઝમાં પણ કામ કર્યું હતું. આ સિવાય મનીષા અનેક કેન્સર જાગૃતિ અભિયાન પણ ચલાવે છે.
  • કોંકણા સેન શર્મા
  • કોંકણા સેન શર્મા અને અભિનેતા રણવીર શોરેની લવ સ્ટોરીઝ પણ ચર્ચામાં રહી છે. એવું કહેવામાં આવે છે કે કોંકણાને પ્રથમ નજરમાં જ રણવીર સાથે પ્રેમ થઈ ગયો હતો, બંનેની પ્રથમ મુલાકાત મિક્સ્ડ ડબલ્સ ફિલ્મ દરમિયાન થઈ હતી અને વર્ષ 2010 માં તેઓએ એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા.
  • જો કે આ લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યો નહીં અને 2013 માં ત્રણ વર્ષ પછી કોંકણાએ પોતાને સિંગલ જાહેર કરી. પરંતુ કોંકણા સિંગલ્સમાં ખૂબ ખુશ છે અને હવે તેઓ ક્યારેય બીજા લગ્નનો વિચાર નથી કરતી.
  • મહિમા ચૌધરી
  • અભિનેત્રીઓની યાદીમાં મહિમા ચૌધરીનું નામ પણ શામેલ છે, જેના લગ્ન ખરાબ રીતે સમાપ્ત થયા. જોકે મહિમા હવે સિંગલ ખૂબ ખુશ છે. જણાવી દઈએ કે વર્ષ 2006 માં તેમણે ઉદ્યોગપતિ બોબી મુખરજી સાથે લગ્ન કર્યા હતા અને 7 વર્ષ પછી તેમના બંનેના લગ્ન છૂટાછેડા સાથે સમાપ્ત થયા હતા. જણાવી દઈએ કે એક્ટ્રેસએ દીકરીના ઉછેર માટે ફિલ્મોથી પોતાને દૂર કરી લીધી છે. જોકે તે અનેક કાર્યક્રમોમાં ભાગ લેતી જોવા મળે છે.
  • ચિત્રાંગદા સિંઘ
  • બોલિવૂડની સુંદર અભિનેત્રીઓની યાદીમાં સામેલ ચિત્રાંગદા સિંહ પણ છૂટાછેડા પછી સિંગલ ખુશ છે. ચિત્રાંગદાએ પ્રખ્યાત ગોલ્ફર જ્યોતિ રંધાવા સાથે લગ્ન કર્યા. પરંતુ લગ્નના 13 વર્ષ પછી લગ્નજીવનમાં દુરિયા આવવાનું શરૂ થયું. તો 2014 માં બંને એક બીજાથી અલગ થઈ ગયા. ચિત્રાંગદા સિંહે ઍક્ટિંગ જગતમાં માત્ર પોતાનો હાથ અજમાવ્યો નથી પરંતુ તેમણે પ્રોડક્શનનું કામ પણ કર્યું છે. તે જાણીતું છે કે વર્ષ 2018 માં ફિલ્મ સુરમા ચિત્રાંગદા સિંઘ દ્વારા બનાવવામાં આવી હતી.
  • પૂજા ભટ્ટ
  • આ સૂચિમાં ફિલ્મ નિર્માતા અને બોલિવૂડ એક્ટ્રેસ પૂજા ભટ્ટનું નામ પણ શામેલ છે. પૂજા ફિલ્મ સડક 2 ફિલ્મથી વાપસી કરવાની છે, જણાવી દઈએ કે પૂજા 20 વર્ષ પછી એક ફિલ્મમાં જોવા મળશે. જો કે આ ફિલ્મમાં તેની બહેન આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. બીજી બાજુ જો પૂજાની અંગત જિંદગીની વાત કરીયે તો તેણે વીડિયો જોકી મનીષ મખીજા સાથે લગ્ન કર્યા હતા.
  • લગ્નના માત્ર 11 વર્ષ પછી પૂજાએ મનિષથી છૂટાછેડા લેવાનું નક્કી કર્યું. જોકે પૂજા ભટ્ટે તેમના નિષ્ફળ લગ્નની અસર તેમના કરિયર પર થવા દીધી ન હતી. જણાવી દઈએ કે પૂજા તેના પિતા મહેશ ભટ્ટના માર્ગને અનુસરીને એક સફળ પ્રોડુયુસર અને ડિરેક્ટર બની.
  • સંગીતા બિજલાની
  • અભિનેત્રી સંગીતા બિજલાનીનું નામ એક સમયે સલમાન ખાન સાથે સંકળાયેલું હતું. હા સંગીતા અને સલમાન એક બીજાની ખૂબ નજીક હતા. પરંતુ આ સંબંધનો અંત પણ દુ:ખદ આવ્યો. આ પછી સંગીતાએ વર્ષ 1996 માં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન સાથે લગ્ન કર્યા. બંનેએ એકબીજાને 14 વર્ષ સુધી સાથ આપ્યો અને 2010 માં તેમના લગ્ન સમાપ્ત થયા. બંનેએ જુદા થઈ ગયાના હવે 10 વર્ષ થયા છે, પરંતુ સંગીતા હવે ખુશીથી સિંગલ છે.

Post a Comment

0 Comments