આ 6 મશહૂર હસ્તીઓએ કોરોનાકાળમા કર્યા લગ્ન, એક એ લગ્ન પછી છોડી ફિલ્મ ઈન્ડસ્ટ્રી

  • આ દિવસોમાં આખું વિશ્વ કોરોના રોગચાળાના સંકટ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. કોરોના રોગચાળાની અસર સામાન્ય લોકો તેમજ બોલિવૂડ પર પડી છે. જોકે આ વર્ષ બોલિવૂડ માટે કંઇ ખાસ રહ્યું નથી, ઘણા દિગ્ગજ કલાકારોએ આ વર્ષે દુનિયાને અલવિદા કહી દીધું છે, કોરોના રોગચાળાને કારણે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીને પણ ખૂબ નુકસાની ભોગવવી પડી છે. તે જ સમયે, ઈન્ડસ્ટ્રી તરફથી કેટલાક સારા સમાચાર પણ સાંભળવા મળ્યા છે. કોરોના સમયગાળા દરમિયાન, ઘણા બોલિવૂડ અને ટીવી કલાકારોએ તેમના જીવનસાથી સાથે સાત ફેરા લીધા છે. આવામાં, આજે અમે કોરોના કટોકટી દરમિયાન લગ્ન કરનારા કલાકારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ…
  • કાજલ અગ્રવાલ
  • કાજલ અગ્રવાલે 30 ઓક્ટોબરે તેના લાંબા સમયના બોયફ્રેન્ડ ગૌતમ કીચલૂ સાથે સાત ફેરા લીધા હતા. આ લગ્નને લઈને સોશિયલ મીડિયામાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે લગ્ન પહેલાના પ્રિ-વેડિંગની તસ્વીરો કાજલ અને તેના પતિ ગૌતમ એ ચાહકો સાથે શેર કરી હતી, જે ચાહકો ને ખૂબ પસંદ આવી હતી.
  • નેહા કક્કડ
  • આ યાદીમાં નેહા કક્કર પણ શામેલ છે. 24 ઓક્ટોબરે તેણે તેના બોયફ્રેન્ડ રોહનપ્રીત સિંહ સાથે દિલ્હીના ગુરુદ્વારામાં લગ્ન કર્યા. લગ્ન પ્રસંગે બંનેએ ખૂબ મસ્તી કરી હતી અને ક્ષણને યાદગાર બનાવવા માટે પોતાનો શ્રેષ્ઠ પ્રયાસો કર્યો હતો. આ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જણાવી દઈએ કે કોરોનાને કારણે નેહા અને રોહનપ્રીતનાં લગ્ન પણ ખૂબ જ સાદી રીતે થયાં હતાં. આ લગ્નમાં બંનેના નજીકના સગાં અને મિત્રો હાજર હતાં.
  • રાણા દ્ગ્ગુબાતી
  • સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ફેમસ એક્ટર રાણા દગ્ગુબતીએ પણ આ કોરોના સમયગાળામાં લગ્ન કર્યા. તેણે 8 મી ઓગસ્ટના રોજ હૈદરાબાદના રામનાયડુ સ્ટુડિયોમાં તેની પ્રેમિકા મિહિકા બજાજ સાથે સાત ફેરા ફર્યા હતા. તમે જાણો છો કે રાણાની પત્ની મિહિકા એક ઇવેન્ટ મેનેજર છે અને તે મુંબઈ સ્થિત ડ્યુ ડ્રોપ ડિઝાઇન સ્ટુડિયોની માલકીન છે. આટલું જ નહીં મિહિકા લગ્નના સંચાલનનું કામ પણ કરે છે.
  • સમીક્ષા સિંહ
  • ટીવીની વિશ્વવિખ્યાત અને લોકપ્રિય અભિનેત્રી સમિતા સિંહે 3 જુલાઈએ તેના બોયફ્રેન્ડ શૈલ ઓસ્વાલ સાથે કોરોના યુગની વચ્ચે લગ્નસંબંધ બાંધ્યો હતો. તમને જણાવી દઈએ કે સમીક્ષા અને શેલના લગ્ન સિંગાપોરના એક ગુરુદ્વારામાં થયાં. રસપ્રદ વાત એ છે કે લગ્ન પછી સમીક્ષાએ ટીવી ઈન્ડસ્ટ્રી માથી કાયમ માટે અલવિદા કહી દીધૂ છે. તેનુ કહેવુ છે કે હવે તે ક્યારેય મુંબઇ પાછી નહીં આવે. જણાવી દઈએ કે તેણે હવે સ્ક્રિપ્ટીંગ, ડાયરેકશન અને પ્રોડકશન મા નવી કારકિર્દી બનાવવાની શરૂઆત કરી છે.
  • પૂજા બનર્જી
  • અભિનેત્રી પૂજા બનર્જીએ પણ આ દિવસોમાં તેના લાંબા સમયના બોયફ્રેન્ડ કુણાલ વર્મા સાથે લગ્ન કર્યા છે. બંનેના લગ્ન 15 એપ્રિલ, 2020 ના રોજ થવાના હતા, પરંતુ કોરોના વાયરસના રોગચાળાને લીધે, આ લગ્ન શક્ય બન્યા નહીં. ખરેખર, આ લગ્ન ફક્ત ઐપચારિકતા માટે જ હતા, કારણ કે આ બંનેએ એક મહિના પહેલા જ કોર્ટમાં લગ્ન કર્યા હતા. આ અંગે પૂજાએ કહ્યું હતું કે જો 15 મી એપ્રિલે લગ્નની ધાર્મિક વિધિઓ ન થઈ શકી, તો અમે વડીલોના આશીર્વાદથી અમારું નવું જીવન શરૂ કર્યું.
  • પ્રાચી તેહલાન 
  • પ્રખ્યાત અને લોકપ્રિય ટીવી સીરિયલ દિયા અને બાતી હમ માં અર્જુ રાથીની ભૂમિકા નિભાવી રહેલી અભિનેત્રી પ્રાચી તેહલાન પણ આ યાદીમાં શામેલ છે. તેઓએ પણ કોરોનામાં આ કટોકટી દરમિયાન લગ્ન કર્યા. જણાવી દઈએ કે 7 ઓગસ્ટે તેણે દિલ્હીના વેપારી રોહિત સરોહા સાથે સાત ફેરા લીધા હતા. લોકડાઉનનાં નિયમોને કારણે, આ લગ્નમાં ફક્ત થોડા લોકો જ હાજર રહ્યા હતા.

Post a Comment

0 Comments