ક્રોધિત ભગવાનને મનાવવા માટે આ કરો ઉપાય, પૂર્ણ થશે તમારી બધી ઇચ્છા

  • ઘણી વાર લાખો પૂજા કર્યા પછી પણ આપણને પૂજા કરવાનું ફળ મળતું નથી. જો તમને પણ આવું થાય છે તો તમે નિરાશ થશો નહીં. કારણ કે ઘણી વખત આપણી પુજા ભગવાન સુધી પહોંચતી નથી. જેના કારણે આપણને પૂજા કરવાનું ફળ મળતું નથી.ત્યારે તમારે ભગવાનને મનાવવા માટે આ સરળ ઉપાય કરવા જોઈએ. આ ઉપાયો કરવાથી ભગવાન ખુશ થાય છે અને તમને પૂજા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે.
  • ભગવાનને પ્રસન્ન કરવા કરો આ ઉપાય
  • ગાય માટે રોટલી બનાવો
  • જ્યારે પણ તમે રોટલી બનાવો ત્યારે ગાય માટે પહેલી રોટલી બનાવો. આ રોટલીમાં થોડું ઘી અને ગોળ લગાવીને ગાયને ખાવા આપો. ખરેખર ગાયની અંદર બધા દેવી-દેવતાઓનો વાસ માનવમાં આવે છે. જેના કારણે ગાયને રોટલી ખવડાવવી સારી માનવામાં આવે છે અને તેમ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે.
  • કેળાના ઝાડની પૂજા કરો
  • કેળાના ઝાડને ખૂબ પવિત્ર માનવામાં આવે છે અને આ ઝાડના પાંદડાઓ લગ્ન જેવા શુભ કાર્યો દરમિયાન વપરાય છે. ભગવાન આ વૃક્ષ પર રહે છે. તેથી આ વૃક્ષની પૂજા કરવાથી પણ લાભ થાય છે. કેળાના ઝાડની પૂજા કરવા તમે આ ઝાડ પર પાણી ચઢાવો અને લાલ રંગની મૌલી ચઢાવો. તમે સતત 11 ગુરુવારે કેળાના ઝાડની પૂજા કરો. આ કરવાથી તમને તે બધું મળશે જે તમે પ્રાપ્ત કરવા માંગો છો. આ ઉપરાંત દર સોમવારે મંદિરમાં કેળા જરૂર ચઢાવો.
  • ચઢાવો અક્ષત
  • જ્યારે પણ તમે કોઈ ભગવાનની પૂજા કરો છો ત્યારે તેમને સાફ અક્ષત એટલે કે ચોખા ચઢાવો. ભગવાનને ચોખા અર્પણ કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. ખરેખર ચોખા સૌથી પવિત્ર અનાજ માનવામાં આવે છે. તેથી પૂજા દરમિયાન તેનો ઉપયોગ કરવો શુભ છે.
  • કરો તુલસીના છોડની પૂજા
  • તુલસીનો છોડ ખૂબ પવિત્ર છોડ માનવામાં આવે છે. આ છોડની પૂજા કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. તમે દરરોજ સવાર-સાંજ આ છોડની પૂજા કરો અને તેમની પાસે દીવો પ્રગટાવો.
  • જરૂર ચઢાવું નાળિયેર
  • નાળિયેરમાં ત્રીદેવનો વાસ માનવામાં આવે છે. તો કોઈ પણ પ્રકારની પૂજા દરમિયાન ચોક્કસપણે નાળિયેરનો ઉપયોગ કરો અને ભગવાનને નાળિયેર જરૂર ચઢાવું. ઇચ્છા પૂર્ણ થયા પછી પણ ભગવાનને નારિયેળ ચઢાવું.
  • કરો મંદિરની સફાઈ
  • હા, મંદિરની સફાઈ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે અને તે ભગવાનની એક પ્રકારની સેવા છે. તેથી તમારે મંદિરને સાફ કરવું જોઈએ અને મંદિરને સાફ રાખવું જોઈએ અને મંદિરની બહારનો રસ્તો પણ સાફ કરવો જોઈએ.
  • કરો વસ્તુઓનું દાન
  • મંદિરમાં પૂજા સંબંધિત જ્યોત, દીવો, થાળી, ઘંટી વગેરે વસ્તુઓનું દાન કરો.આ ઉપરાંત મંદિરમાં સમયે સમયે પૈસા ચઢાવો અને ભગવાનને વસ્ત્ર પણ ચઢાવો. આ ઉપાય કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને તમારી પુજા તેઓ સુધી પહોંચે છે.

Post a Comment

0 Comments