લગ્ન પછી બીજા સાથે અફેર ચલાવી રહ્યા હતા આ અકટર્સ, પત્નીઓએ પકડ્યા પછી કર્યો હતો આ હાલ

  • પ્રેમ અને વિશ્વાસ પર જ લગ્નજીવનનો સંબંધ રહે છે. એમાં વફાદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો પણ બોલિવૂડમાં આવા ઘણા સ્ટાર્સ છે, જેમના લગ્ન પછી પણ ચક્કર ચાલ્યું છે. જો કે તેઓ નસીબદાર છે કે તેમની પત્નીઓએ તેમને સંભાળવાની તક આપી. આને કારણે તેમનો આ સુંદર સંબંધ આજે પણ ચાલુ છે.
  • નીતુ કપૂર
  • દિવંગત બોલિવૂડ એક્ટર ઋષિ કપૂર અને નીતુ કપૂરની લવ સ્ટોરી વિશે કોને ખબર નથી. ઘણા લોકો એમાંથી પ્રેરણા પણ લે છે. છતાં એક સમયે ઋષિ કપૂર ખૂબ જ નાજુક તબક્કામાંથી પસાર થયા હતા. દારૂની તેમને ખરાબ લત લાગી ગઈ હતી. નીતુને પ્રેમ તેઓ ખૂબ કરતા હતા, પરંતુ તેમનો દારૂ પ્રત્યેનો પ્રેમ ઓછો થતો ન હતો.
  • થોડો દારૂ પીધા પછી તેમનો સ્વભાવ ખૂબ ગુસ્સે થઈ જતો હતો. પરેશાન થઈને નીતુ કપૂરે પણ સત્તાવાર ફરિયાદ કરવાનું મન બનાવી લીધું હતું. તો પણ તેમણે ઋષિ કપૂરને બીજી તક આપી. આ પછી બંને ખુશીથી જીવવા લાગ્યા.ગયા એપ્રિલમાં ઋષી કપૂરનું નિધન થયું હતું અને હવે એકલી જ પોતાના બાળકો સાથે નીતુ કપૂર જીવન જીવી રહી છે.
  • સુનિતા આહુજા
  • જાણીતા બોલિવૂડના અભિનેતા ગોવિંદાએ સુનીતા આહુજા સાથે લગ્ન કર્યા. ગોવિંદા વિશે કહેવાય છે કે અનેક અભિનેત્રીઓ સાથે અફેર હતું. જોકે, ફિલ્મ હદ કર દી આપને પછી એવું કહેવામાં આવે છે કે તેમનું રાની મુખર્જી સાથે અફેર હતું.
  • તેમની પત્ની સુનિતા આહુજાને પણ આ અંગે ખબર પડી હતી. છતાં ગોવિંદાને તેમણે તેમની ભૂલ સુધારવાની તક આપી. ગોવિંદા પણ તેમની ભૂલ સમજી ગયા અને સુનિતાની માફી પણ માંગી. આજની તારીખમાં બંને ખુશીથી પોતાનું જીવન પસાર કરી રહ્યા છે.
  • નાદિરા બબ્બર
  • તેમના સમયના પ્રખ્યાત અભિનેતા અને આજની તારીખમાં રાજકારણી રાજ બબ્બરના લગ્ન નાદિરા સાથે થયા હતા, પરંતુ તેઓ સ્મિતા પાટિલના પ્રેમમાં પડી ગયા. લગ્ન કર્યા હોવા છતાં તેમણે તેમની સાથે લગ્ન કર્યા. આ માટે તેમણે નાદિરા સાથેના સંબંધ તોડી નાખ્યા હતા. જોકે, કમનસીબે સ્મિતા પાટિલનું મોત પ્રિતિક બબ્બરને જન્મ આપતી વખતે થયું હતું. આ પછી રાજ બબ્બર પોતાની પત્ની નાદિરા પાસે પાછા ફયા. નાદિરાએ પણ તેમને અપનાવી લીધા. બંને આજે ખુશી ખુશી જીવન જીવે છે.
  • ઝરીના વહાબ
  • આદિત્ય પંચોલી સાથે એક સમયે કંગના રનૌતનાં અફેરનાં સમાચારો ઉડવાનું શરૂ થયું હતું. કંગનાથી તેઓ 20 વર્ષ મોટા હતા. તે સમયે કંગનાએ બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ જ્યારે કંગનાએ આ શોષણ વિશે જણાવ્યું ત્યારે આ દરમિયાન આદિત્યની પત્ની ઝરીના વહાબ જે તેમને છોડીને ગઈ હતી, તે તેમના પતિના સમર્થનમાં ઉભી હતી.
  • તેમણે આદિત્યને પૂરો સાથ આપ્યો. તેમના પરિવારને આ દરમિયાન પણ ઝરીનાએ સારી રીતે સંભાળ કરી હતી. આદિત્ય પંચોલી અને ઝરીના વહાબ આજે એક સાથે ખુશહાલ જીવન જીવી રહ્યા છે. સના અને સૂરજ નામના આદિત્ય પંચોલીને બે બાળકો છે.

Post a Comment

0 Comments