આ ચમત્કારિક ફૂલના ઉપયોગથી, ઘરમાં આવવા લાગશે પૈસા, થાય છે બરકત

  • આપણા જીવનમાં વૃક્ષો અને છોડ કેટલા મહત્ત્વના છે તે તમે જાણતા જ હશો. આપણને ફક્ત ઝાડ છોડમાંથી ઓક્સિજન જ નથી મળતું. પરંતુ છાયો સાથે સાથે ફળો અને ફૂલો પણ મળે છે. વૃક્ષ-છોડનો દરેક ભાગ આપણા માટે ખૂબ ઉપયોગી છે. વૃક્ષ-છોડ આયુર્વેદિક ઉપચારમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે એટલું જ નહીં, ઝાડમાં ઉગેલા કેટલાક ફૂલો પણ આપણા ધનલાભ માટે પણ ઉપયોગી છે. આમાંનું એક છે નાગકેસરનું ફૂલ. નાગકેસરના સૂકા ફૂલોનો ઉપયોગ દવાઓ અને મસાલા બનાવવા માટે પણ થાય છે. તે દેખાવમાં મહેંદીના છોડ જેવો હોય છે.
  • નાગકેસરનું ફૂલ
  • આ ફૂલ ફક્ત તેની સુંદરતા માટે જ નહીં પરંતુ ધનલાભ માટે પણ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. તંત્ર પ્રવૃત્તિઓમાં નાગકેસરનું ફૂલ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તેનો ઉપયોગ કરવાથી લક્ષ્મી માતાને પ્રસન્ન કરી શકે છે. તમને જણાવી નાગકેસરના ફૂલનો ઉપાય. નાગકેસરનો ઉપયોગ ઘરમાં ધન વધારવા માટે થાય છે. તેના ઉપયોગથી ઘરમાં અપાર સંપત્તિ આવે છે. તેના ઘણા ઉપાય છે.
  • ધનલાભની યુક્તિઓ
  • નાગકેસરના ફૂલની નાની ડબ્બીમાં મધ ભરો અને તેને શુક્લ પક્ષની રાત્રે અથવા અન્ય કોઈ શુભ સમયે પોતાના ઘરની તિજોરીમાં રાખો અથવા એવી જગ્યા કે જ્યાં તમે પૈસા રાખતા હોય. તેનાથી તમારા ઘરમાં ક્યારેય પૈસાની તંગી નહીં થાય. તમને અચાનક ધનલાભ થઈ શકે છે.
  • શુક્રવારે નાગકેસરના ફૂલો લઈને પહેલા શિવજીની સામે તેમની પૂજા કરો. પૂજા કર્યા પછી તેને સ્વચ્છ સફેદ રંગના કપડામાં લપેટી લો. ભગવાન શિવજીને કાચું દૂધ, દહીં, ઘી અને ગંગાજળ ઉમેરીને ધોઈ લો. હવે તેને દુકાનની તિજોરી, ઓફિશના કેશબોક્સમાં ક્યાંય પણ રાખી દો. આ ઉપાયથી સંપત્તિમાં વધારો થશે.
  • પૂર્ણ ચંદ્રના દિવસથી, તમે દરરોજ શિવલિંગ પર નાગકેસર ફૂલો ચઢાવો. તમને આનો લાભ મળવાનું શરૂ થશે. છેલ્લા પૂર્ણ ચંદ્રના દિવસે, તેને તમારા ઘરે લાવો અને તેને તિજોરીમાં રાખો. આનાથી તમને ધનલાભ થશે અને બરકત વધશે.
  • જો તમે બીજનેશમેન છો, તો નાગકેસરનું ફૂલ તમારા માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. કોઈ પણ શુભ મુહૂર્તમાં, નિગુંજી, નાગકેસરના ફૂલો અને પીળી સરસવના દાણા નાની પોટલીમાં બાંધી લો. તેને બાંધો અને દુકાનની બહાર લટકાવી દો. આવા ઉપાય કરવાથી તમારા વ્યવસાયમાં વધારો થશે. તમારો ધંધો વધશે. તેમજ તમારા ઘરમાં ધનવૃદ્ધિ થશે.
  • દરેક વ્યક્તિની ઇચ્છા છે કે તેની તિજોરી ક્યારેય ખાલી ન રહે અને હંમેશાં પૈસા રૂપિયા ભર્યા રહે. આ માટે તમે નાગકેસરનું ફૂલ, કેસર, હળદર, સોપારી, એક સિક્કો, તાંબાનો ટુકડો અને, ચોખા બાંધી તેને કપડામાં નાંખીને લક્ષ્મી માની આગળ રાખો. આ પછી, સાચા હૃદયથી દેવી લક્ષ્મીની પૂજા કરો. હવે તેને તિજોરીમાં રાખો. તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે.
  • અન્ય ઉપાય
  • ધનલાભ ઉપરાંત આ ફૂલ તમારા વ્યક્તિત્વને આકર્ષિત કરવાનું કામ પણ કરે છે. કોઈપણ શુભ તિથિએ નાગકેસર, ચમેલીનાં ફૂલો, કૂટ, કુમકુમ, ગાયનું ઘી એકમાં મિક્ષ કરીને તમારા કપાળ પર તિલક લગાવો. આ તમારા વ્યક્તિત્વને આકર્ષિત કરશે.
  • પીપળાની છાલ, કાળા મરી અને નાગકેસરને સમાન પ્રમાણમાં પીસી લો. તેમાં ઘી મિક્સ કરો અને તેને 7 દિવસ સુધી ખાઓ. જે મહિલાઓને સંતાન પ્રાપ્ત નથી થતાં તેમને આ ઉપાય કરવો. તેનો ઉપયોગ ગર્ભવતી સ્ત્રી માટે ખૂબ ફાયદાકારક છે. મીશ્રી અથવા માખણ સાથે નાગકેસરનો પાવડર ખાઓ. તે લોહિયાળ બવાસીરમાં રાહત પૂરી પાડે છે.

Post a Comment

0 Comments