પતિથી અલગ થયા પછી એકલા જીવન વિતાવી રહી છે બોલીવુડની આ 5 હસીનાઓ, નંબર 5 બની ગઈ છે સાધ્વી

  • બોલિવૂડ સ્ટાર્સનું જીવન ઘણું ચઢાવ-ઉતારથી ભરેલું છે. તેમના જીવનમાં ક્યારે શું થાય એ કંઇ કહી શકાય નહીં. અહીં અચાનક કોઈ સ્ટાર લગ્ન કરવાનું નક્કી કરે છે, પછી અચાનક કોઈના છૂટાછેડા થયાના સમાચાર આવે છે. અહીં કંઈ નિશ્ચિત નથી. અહીં સંબંધો બગડતા રહે છે. અહીં, જો કોઈ કોઇની પુત્રીની ઉંમરની છોકરી સાથે લગ્ન કરે છે, તો કોઈ પોતાનાથી 10 વર્ષ નાના છોકરાને પોતાનો જીવનસાથી બનાવે છે. બોલીવુડ પણ આ બધી લાક્ષણિકતાઓને કારણે પ્રખ્યાત છે.
  • જો બોલીવુડમાં જોવામાં આવે તો છૂટાછેડા લેનારા લોકોની સંખ્યા ઘણી વધારે છે, જ્યારે કેટલાક લોકો લગ્નના આટલા વર્ષો પછી પણ સબંધ નિભાવી રહ્યા છે. છૂટાછેડા પછી સામાન્ય લોકોના જીવનમાં ખળભળાટ મચી જાય છે, પરંતુ આજે આ પોસ્ટમાં અમે તમને તે હસીનાઓ વિશે જણાવશું જેઓ તેમના પતિથી છૂટાછેડા લઈને એકાંત જીવન જીવી રહી છે.
  • કરિશ્મા કપૂર
  • તમને જણાવી દઈએ કે કરિશ્મા કપૂરે 2016 માં તેના પતિ સંજય કપૂર સાથે છૂટાછેડા લીધા હતા. તમને જણાવી દઈએ કે, કરિશ્માએ વર્ષ 2003 માં દિલ્હી સ્થિત બીજનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. પરંતુ તેમનું લગ્નજીવન લાંબું ચાલ્યું નહીં અને 2012 માં બંનેના છૂટાછેડા થઈ ગયા. હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે ટૂંક સમયમાં કરિશ્મા ફરી એકવાર દુલ્હન બની શકે છે. સમાચારો અનુસાર કરિશ્મા આ દિવસોમાં સંદિપ તોષનીવાલ સાથે ડેટ કરી રહી છે અને જલ્દીથી તેની સાથે લગ્ન કરી શકે છે.
  • સુજૈન ખાન
  • રિતિક રોશન અને સુજૈન ખાનના છૂટાછેડાના સમાચારો સાંભળીને બધાને આશ્ચર્ય થયું. બંનેએ વર્ષ 2000 માં લગ્ન કર્યા હતા અને વર્ષ 2014 માં છૂટાછેડા લીધા હતા. 14 વર્ષ સુધી સાથે રહ્યા બાદ છૂટાછેડા થયા હોવાના અહેવાલો આવ્યા હતા પરંતુ અંત સુધી કંઇ સ્પષ્ટ થયું ન હતું કે તેઓએ કેમ છૂટાછેડા લીધા. સુજૈનના છૂટાછેડાને 5 વર્ષ વીતી ગયા છે અને આજે તે એકલા જ ખૂબ ખુશ અને સારી જીંદગી જીવી રહી છે.
  • પૂજા ભટ્ટ
  • પૂજા ભટ્ટ ડિરેક્ટર મહેશ ભટ્ટની પુત્રી અને આલિયા ભટ્ટની મોટી બહેન છે. અભિનયની દુનિયામાં નામ કમાવનારી પૂજાએ તેના અંગત જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા. વર્ષ 2003 માં પૂજાના લગ્ન મનીષ માખીજા સાથે થયા હતા. પરંતુ લગ્નના લગભગ 11 વર્ષ બાદ બંનેના છૂટાછેડા થઈ ગયા. આજે પૂજા એકલી છે અને તે પોતાનું જીવન જીવી રહી છે.
  • મનીષા કોઈરાલા
  • મનીષા કોઈરાલાનું નામ સાંભળતાની સાથે જ આપણા મનમાં એક નિર્દોષ અને ચુલબુલી છોકરીની છબિ બની જાય છે. મનીષાની સુંદરતામાં કોઈ કમી નથી. આજે પણ તે એટલી જ સુંદર લાગે છે જેટલી તે 10 વર્ષ પહેલા હતી. 2010 માં મનીષાએ બિઝનેસમેન સમ્રાટ દહલ સાથે લગ્ન કર્યા. પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને તેમના છૂટાછેડા થઈ ગયા. આજે મનીષા કેન્સરમાંથી બહાર આવ્યાં બાદ પોતાનું જીવન એકલી પસાર કરી રહી છે.
  • મમતા કુલકર્ણી
  • એક સમયે મમતા કુલકર્ણીનું નામ બોલિવૂડની હોટ અભિનેત્રીઓમાં શામેલ હતું. પરંતુ માફિયા વિકી ગોસ્વામી સાથે લગ્ન કર્યા પછી, મમતા ફિલ્મ જગતથી દૂર થઈ ગઈ. વિકી ગોસ્વામી હાલમાં ડ્રગ્સના ગેરકાયદેસર વેપારને કારણે જેલમાં છે અને મમતા એકલી સાધ્વી તરીકે પોતાનું જીવન વિતાવી રહી છે.

Post a Comment

0 Comments