આ બોલિવૂડની પ્રખ્યાત એ સુંદરીઓ છે જે છૂટાછેડા થયેલા પુરુષ ને આપી બેઠી દિલ, પછી આ રીતે લગ્ન કર્યા

  • બોલીવુડમાં વારંવાર જોવા મળે છે કે બોલીવુડમાં બે વ્યક્તિ ની વચ્ચે પ્રેમ અને લગ્ન ખુબ જ થાઈ છે, અને એટલા જલદી તૂટી પણ જાય છે. બોલિવૂડમાં એવા ઘણા સ્ટાર્સ છે જેઓ છૂટાછેડા લીધેલા છે અને તેઓના એકથી વધુ વાર લગ્ન પણ કરી ચૂક્યા છે. પરંતુ એવું કહેવામાં આવે છે કે બધી વસ્તુ ને જોવા માટે એક જ પાસા નથી હોતા. આવી સ્થિતિમાં બોલિવૂડમાં જ્યાં કેટલાક સંબંધો નબળા પડે છે. તે જ સમયે, આવા કેટલાક સંબંધો છે કે જે પ્રેમનું ઉદાહરણ પણ રજૂ કરે છે. જી હા, આજે અમે તમને બોલીવુડની આવી કેટલીક અભિનેત્રીઓ નો પરિચય કરવા જઈ રહ્યા છીએ, જેમણે તેમના પ્રેમને સાબિત કરવા માટે છૂટાછેડા લીધેલી વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે.
  • કરિશ્મા કપૂર અને સંજય કપૂર
  • બોલિવૂડના સૌથી પ્રખ્યાત કપૂર પરિવારની પુત્રી અને બોલિવૂડમાં પોતાની ઓળખ ધરાવતી કરિશ્મા કપૂરે સંજય કપૂર સાથે લગ્ન કર્યાં છે. જો કે હવે તેમના લગ્ન સમાપ્ત થઈ ગયા છે અને તેમના છૂટાછેડા પણ થઈ ગયા છે. આ લગ્નથી કરિશ્માને બે બાળકો છે, અને સંજયે પણ ત્રીજા લગ્ન પણ કરી લીધા છે.
  • વિદ્યા બાલન અને સિદ્ધાર્થ રોય કપૂર
  • બોલિવૂડની કેટલીક જૂની અને મલ્ટિ-ટેલેન્ટેડ અભિનેત્રીઓમાંની એક વિદ્યા બાલન, તેને સિદ્ધાર્થ રોય કપુરને તેના જીવનસાથી તરીકે પસંદ કર્યો હતો, જે ના બે વાર છૂટાછેડા થઈ ચૂક્યાં છે. તેમના લગ્ન વર્ષ 2012 માં થયા હતા. જો કે લગ્ન પછીથી વિદ્યા ફિલ્મોથી દૂર છે, પરંતુ ઘણી વાર તેણીના અંગત જીવનના સમાચારોને લઈને ચર્ચામાં રહે છે.
  • રાની મુખર્જી અને આદિત્ય ચોપડા
  • પોતાના સમય માટે જાણીતી અને પ્રખ્યાત અભિનેત્રીઓની યાદીમાં જોવા મળતી અભિનેત્રી રાણી મુખર્જીએ પ્રખ્યાત નિર્દેશક આદિત્ય ચોપડા સાથે લગ્ન કરી લીધા છે. સમાચારમાં કહેવામાં આવે છે કે રાણી સાથેના અફેરને કારણે આદિત્યના છૂટાછેડા થયા છે.
  • શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા
  • બૉલીવુડ ની ડાન્સ ક્વીન અને પોતાની સ્ટાઈલ થી લાખો  લોકોમાં પ્રખ્યાત બનેલી અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ તેના જિવનસાથી ના રૂપ માં બિઝનેસમેન રાજ કુંદ્રાને પસંદ કર્યો હતો, રાજ કુંદ્રા પહલેથી છૂટાછેડા થયેલ હતા. જો કે, આજે આ બધી બાબતોનો તેમના સંબંધ અને પ્રેમ પર કોઈ પ્રભાવ પડતો નથી. આજે, બંને પાર્ટીઓ અને ખરીદી જેવા સ્થળો પર એક સાથે જોવા મળે છે.
  • કરીના કપૂર અને સૈફ અલી ખાન
  • બોલીવુડમાં સૌથી વધારે ચર્ચામાં આવેલી જોળીઓમાં સૈફઅલીખાન અને કરીના કપૂરની જોળી છે. તમને બતાવીએ કે સૈફના એકવાર છૂટાછેડા થઈ ચૂક્યા હતા અને તે જ સમયે તેની નિકટતા કરીના તરફ જવા લાગી અને તે એટલી વધી ગઈ કે બંનેએ લગ્ન પણ કરી લીધા. આ બંનેને એક પુત્ર પણ છે જેનું નામ તૈમૂર છે. તૈમૂર લાઇમલાઇટમાં એકદમ નજરે પડે છે. તેઓને કેટલાક સૌથી રોમેન્ટિક કપલમાં ગણવામાં આવે છે.
  • શ્રીદેવી અને બોની કપૂર
  • બોલિવૂડની ખૂબ જ સુંદર અભિનેત્રી અને તેના સમયનું પહેલું સ્થાન ધરાવતી શ્રીદેવી આજે આ દુનિયામાં આપણા બધાની વચ્ચે નથી. તેમણે લગ્ન માટે પ્રખ્યાત દિગ્દર્શક બોની કપૂરની પસંદગી કરી હતી, જેના લગ્ન પહેલેથી જ થઈ ચૂક્યાં હતા. ઘણા અહેવાલોમાં એવું પણ કહેવામાં આવે છે કે બોનીના પહેલા લગ્ન સંબંધોના તૂટવા નું કારણ શ્રીદેવી છે.

Post a Comment

0 Comments