સુરેશ રૈના નું આઇપીએલ છોડવાનું કારણ આવ્યું સામે દુબઈમાં તેમની સાથે બની હતી આ ઘટના

  • કોરોના વાયરસને કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગની હાલની સીઝન 19 સપ્ટેમ્બરથી યુએઈમાં રમવાની છે. પહેલેથી જ ચેન્નાઈ સુપરકિંગ્સની ટીમમાં વિવાદના અહેવાલો છે. તાજેતરમાં જ ટીમના સભ્યો અને ભારતીય ક્રિકેટર સુરેશ રૈના અચાનક દેશ પરત ફરતા બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. આ સાથે અટકળોનો માહોલ શરૂ થઈ ગયો હતો. જો કે, હવે અટકળોનો અંત આવી રહ્યો છે. તેમજ કેટલીક નવી માહિતી બહાર આવી રહી છે. અહેવાલો અનુસાર ટીમના માલિક એન શ્રીનિવાસે સુરેશ રૈનાને લઈને મોટું નિવેદન આપ્યું છે.
  • તેમણે પુષ્ટિ કરી છે કે સુરેશ રૈના હોટલના રૂમ અને કોરોના વાયરસના ડરથી આઈપીએલ 2020 છોડીને ઘરે પરત ફર્યો છે. બેડ રૂમ અંગે મહેન્દ્રસિંહ ધોની સાથે રૈનાના વિવાદની વાત પણ સામે આવી રહી છે. તમને જણાવી દઈએ કે આઈપીએલમાં રમવા માટે આઠ ટીમો યુએઈ પહોંચી છે. તે બધાએ કોરોના માટે બનાવેલા પ્રોટોકોલને અનુસરીને પ્રેક્ટિસની તૈયારી શરૂ કરી દીધી છે. દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડી સુરેશ રૈનાની બે દિવસ પહેલા અચાનક ઘરે પરત ફરવાની ઘટનાએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા.
  • આ મામલે શ્રીનિવાસે એક નિવેદનમાં કહ્યું કે રૈના અને ટીમના કેપ્ટન એમએસ ધોની વચ્ચે હોટલના રૂમને લઈને વિવાદ થયો હતો. કેપ્ટન કૂલે ઓલરાઉન્ડર રૈનાને મનાવવા માટે ઘણા પ્રયાસ કર્યા, પરંતુ તેણે ના પાડી અને ટૂર્નામેન્ટ છોડવાનો નિર્ણય કર્યો. શ્રીનિવાસને તો એમ પણ કહ્યું કે તેમની ઉપર સફળતા ચઢી ગઈ છે.ધોનીએ પરિસ્થિતિ સંભાળી લીધી છે. ક્રિકેટરો જૂના દિવસોના તૂણક મિજાજ અભિનેતાઓ જેવા હોય છે. ચેન્નાઈ સુપર કિંગ્સ એક પરિવાર જેવું છે અને તમામ વરિષ્ઠ ખેલાડીઓ સાથે રહેવાનું શીખી ચૂક્યા છે.
  • શ્રીનિવાસને એમ પણ કહ્યું હતું કે 'ટીમ રૈના એપિસોડમાંથી ઉભરી ગઈ છે. મને લાગે છે કે જો તે ખુશ ન હોય તો પાછા જતું રહેવું જોઈએ. હું કોઈને કંઇક કરવા દબાણ કરી શકતો નથી. ક્યારેક સફળતા તમારા માથા ઉપર ચઢી જાય છે. આ સિવાય તેમણે કહ્યું કે રૈના અને ધોની વચ્ચે વાતચીત થઈ છે. કેપ્ટને તેમને ખાતરી આપી છે કે જો કોરોના કેસ વધશે તો પણ ચિંતા કરવાની કંઈ વાત નથી. ધોનીએ ટીમ સાથે ઝૂમ કોલ પર વાત કરી છે અને દરેકને સલામત રહેવાનું કહ્યું છે.

Post a Comment

0 Comments