ગુજરાતમાં સતત ત્રીજા દિવસે કોરોના કેસમાં ચિંતાજનક વધારો આજે આવ્યા આટલા અધધ કેસ

  • ગુજરાતમાં કોરોના વાઇરસ નો ફેલાવો સતત ને સતત વધતો જાય છે અને દિવસેને દિવસે કોરોના પોઝિટીવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજ ના કેસ ની વાત કરવામાં આવે તો ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાક માં નોંધાયેલા કોરોના વાયરસ પોઝીટીવ કેસ ના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા.

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાક માં નોંધાયેલા કોરોના પોઝીટીવ કેસ ની જો વાત કરવામાં આવે તો રાજ્ય માં આજે 872 કેસ નો વધારો જોવા મળ્યો છે. જેમાં સુરતમાં સૌથી વધુ 180 કેસ, અમદાવાદમાં 166 કેસ,સાબરકાંઠામાં 9 કેસ, વડોદરામાં 30 કેસ, જામનગર 2 કેસ, સુરેન્દ્રનગરમાં 10 કેસ, જુનાગઢ 8 કેસ, સાબરકાંઠા 9 કેસ, આણંદ માં 8 કેસ, રાજકોટમાં 12 કેસ, ગાંધીનગરમાં 14 કેસ, નર્મદામાં 7 કેસ, અમરેલી 4 કેસ, પાટણમાં 5 કેસ પોઝીટીવ નોંધાયા છે. જયારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ને લીધે 10 લોકોના મૃત્યુ થયા છે. અને 502 લોકો કોરોના થી નિરોગી થઇ ને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા છે.

  • ગુજરાતમાં અત્યાર સુધીના ટોટલ કોરોના કેસની વાત કરવામાં આવે તો 41027 કેસ નોંધાયા છે. જેમાંથી કુલ 2034 લોકોના કોરોના થી મૃત્યુ નિપજ્યા છે. અને 28685 લોકો કોરોના થી નિરોગી થઇ ને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા છે. અને સમગ્ર દેશ ની વાત કરવામાં આવે તો ભારતમાં 821,000 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં ત્યાર બાદ બીજા ક્રમે તામિલનાડુમાં અને ત્રીજા ક્રમે દિલ્હી અને છઠા ક્રમે ગુજરાત માં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે.

Post a Comment

0 Comments