લોકડાઉન માં ઢીલ ની વચ્ચે ગુજરાતમાં આજે આવ્યા આટલા કોરોના કેસ

  • ગુજરાતમાં કોરોના વાઇરસ નો ફેલાવો સતત ને સતત વધતો જાય છે અને દિવસેને દિવસે કોરોના પોઝિટીવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજ ના કેસ ની વાત કરવામાં આવે તો ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં છેલ્લા 24 કલાક માં નોંધાયેલા કોરોના વાયરસ પોઝીટીવ કેસ ના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા.
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાક માં નોંધાયેલા કોરોના પોઝીટીવ કેસ ની જો વાત કરવામાં આવે તો રાજ્ય માં આજે 405 કેસ નો વધારો જોવા મળ્યો છે. જેમાં અમદાવાદ માં સૌથી વધુ 310 કેસ, સુરતમાં 31 કેસ,સાબરકાંઠામાં 12 કેસ, વડોદરામાં 18 કેસ, પંચમહાલ 3 કેસ, સુરેન્દ્રનગરમાં 2 કેસ, આણંદમાં 2 કેસ, મહેસાણામાં 1 કેસ, વલસાડ માં 1 કેસ, રાજકોટમાં 1 કેસ, ગાંધીનગરમાં 4 કેસ, ખેડામાં 1 કેસ, નર્મદા 3 કેસ, અમરેલી 2 કેસ પોઝીટીવ નોંધાયા છે. જયારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ને લીધે 30 લોકોના મૃત્યુ થયા છે. અને 224 લોકો કોરોના થી નિરોગી થઇ ને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા છે.
  • ગુજરાતમાં અત્યાર સુધીના ટોટલ કોરોના કેસની વાત કરવામાં આવે તો 14468 કેસ નોંધાયા છે. જેમાંથી કુલ 888 લોકોના કોરોના થી મૃત્યુ નિપજ્યા છે. અને 6636 લોકો કોરોના થી નિરોગી થઇ ને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા છે. અને અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 1,86, 361 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 1,71,893 લોકોના ના રિપોર્ટ નેગેટિવ અને 14,468 લોકો ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. સમગ્ર દેશ ની વાત કરવામાં આવે તો ભારતમાં 144,069 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં ત્યાર બાદ બીજા ક્રમે તામિલનાડુમાં અને ત્રીજા ક્રમે ગુજરાત માં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે.

Post a Comment

1 Comments