આવું હોઈ શકે છે લોકડાઉન 5.0 આ શહેરોમાં સખ્તી અને બાકીમાં આ છૂટછાટ મળી શકે છે

  • કોરોના સંકટને પગલે હાલમાં લોકડાઉન ના પાંચમા તબક્કાની તૈયારી કરવામાં આવી રહી છે સૂત્રોના જણાવ્યા અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં લોકડાઉન 5.0 વિશે વાત કરી શકે છે. લોકડાઉનના પાંચમા તબક્કામાં, કોરોનાથી પ્રભાવિત 11 શહેરો સિવાય દેશના બાકીના ભાગોમાં વિસ્તૃત છૂટ અપાય શકે છે.
  • સૂત્રો કહે છે કે લોકડાઉન 5.0 માં 11 શહેરો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેમાં દિલ્હી, મુંબઇ, બેંગ્લોર, પુણે, થાણે, ઇન્દોર, ચેન્નાઈ, અમદાવાદ, જયપુર, સુરત અને કોલકાતાનો સમાવેશ થાય છે. આ શહેરોમાં 70 ટકાથી વધુ કોરોના કેસ છે. ફક્ત 5 શહેરોમાં (અમદાવાદ, દિલ્હી, પુણે, કોલકાતા, મુંબઇ) આ આંકડો 60 ટકાની નજીક છે.
  • લોકડાઉનના પાંચમા તબક્કામાં, કેન્દ્ર સરકાર તરફથી ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપી શકાય છે, પરંતુ નિયમો અને શરતો અમલમાં રહેશે. ધાર્મિક સ્થળે કોઈપણ મેળો કે ઉત્સવ ઉજવવામાં કોઈ છૂટ રહેશે નહીં. ઉપરાંત, મોટી સંખ્યામાં લોકો એકઠા નહીં થઈ શકે. માસ્ક પહેરવાનું અને સામાજિક અંતર ફરજિયાત રહેશે.
  • લોકડાઉન 5.0 દરમિયાન કન્ટેનમેટ ઝોન સિવાય તમામ ઝોનમાં સલુન્સ અને જીમ ખોલવાની મંજૂરી આપી શકે છે. જો કે આ તબક્કે કોઈ શાળા, કોલેજ-યુનિવર્સિટી ખોલવાની મંજૂરી આપવાની શક્યતા નથી. તેમજ માલ અને મલ્ટીપ્લેક્સ પણ બંધ રાખી શકે છે.
  • એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકડાઉન 5.0 માં કેટલાક વધુ લોકોને લગ્ન અને અંતિમ સંસ્કારમાં હાજરી આપવાની છૂટ આપી શકે છે. સૂત્રો કહે છે કે લોકડાઉનનો પાંચમો તબક્કો બે અઠવાડિયા માટે લાગુ થવાની શક્યતા છે.

Post a Comment

0 Comments